ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને પિતા અને બે પુત્રોએ મારમાર્યો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને પિતા અને બે પુત્રોએ મારમાર્યો 1 - image


- સુરેન્દ્રનગરના મફતિયાપરામાં 

- છરી વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ટી.બી.હોસ્પિટલ પાછળ આવેલ મફતીયાપરામાં બે શખ્સો ઝઘડો કરતા હતા. આથી ત્યાંથી પસાર થતાં પરીચીત યુવાને ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી ઝઘડો કરનાર એક યુવાન તેમન તેના ભાઇ અને પિતા સાથે મળી યુવાનને માર માર્યો હતો તેમજ છરી વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર મફતીયાપરા નજીમ મચ્છોમાતાના મંદિર પાસે કાનો રાજપૂત અને પ્રકાશ ઝરવરીયા ઝઘડો કરી રહ્યાં હતાં. તે દરમિયાન ત્યાંથી કાના રાજપૂતનો મિત્ર નિલેશ મકવાણા ત્યાંથી પસાર થતાં તેને ઝઘડો શાંત કરાવવા માટે પ્રયાસ કરતા પ્રકાશ તેને ગાળો દેવા લાગ્યો હતો. આથી ઝઘડો પતી ગયાં બાદ નિલેશ પ્રકાશ ઝરવરીયાના ઘરે ગયો હતો અને ગાળો આપવા બાબતે પુછતાં ઉશ્કેરાયેલા પ્રકાશ તેનો ભાઇ વિજય તેમજ તેના પિતા અજીતભાઇએ નિલેશને માર માર્યો હતો તેમજ વિજયે છરી વડે હુમલો કરતા નિલેશને ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ તેમજ ત્યાર બાદ વધુ સારવાર માટે ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે નિલેશ મકવાણાએ પ્રકાશ ઝરવરીયા, વિજય ઝરવરીયા અને અજીતભાઇ ઝરવરીયા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News