વઢવાણમાં બાઈક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં બાળકનું મોત

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
વઢવાણમાં બાઈક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં બાળકનું મોત 1 - image


- પૂરઝડપે ધસી આવેલા બાઈકચાલક સામે ગુનો દાખલ

- રતનપરના મહિલા પુત્ર અને પુત્રી સાથે ટુવ્હીલર પર દર્શન કરવા જતાં હતાં

સુરેન્દ્રનગર : વઢવાણ નક્ટીવાવ મેલડી માતા મંદિર રોડ પર બાઈક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલરમાં સવાર માતા, પુત્રી અને પુત્ર નીચે પટકાયાં હતાં. જેમાં ૧૦ વર્ષના દીકરાને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું .જ્યારે માતા અને પુત્રીને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત મામલે બાઇક ચાલક વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રતનપરમાં રહેતા સેજલબેન મહેશભાઇ રીબડીયા તેમના દીકરા અનીશ અને દીકરી ગોપીને લઇને નક્ટીવાવ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન મેલડીમાં રોડ પર આવેલા ટેસ્ટિંગ પ્લાન પાસે એક બાઇકના ચાલકે પૂરઝડપે ધસી આવી ટુ વ્હીલર સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો.

 અકસ્માતમાં ટુવ્હીલરમાં સવાર ત્રણેય રોડ પર નીચે પટકાતા ૧૦ વર્ષના અનીશને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે સેજલબેન અને તેમની પુત્રી ગોપીને ઇજાઓ પહોંચી હતી. આ અંગે બાઇકના ચાલક વિરૂદ્ધ વઢવાણ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News