World Cup 2023 Final : ભારતીય ટીમ માટે અનલકી રહ્યા છે આ અમ્પાયર, શું ભારત ફાઈનલમાં રીવાજ બદલાશે?

વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબરો ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે

થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 Final : ભારતીય ટીમ માટે અનલકી રહ્યા છે આ અમ્પાયર, શું ભારત ફાઈનલમાં રીવાજ બદલાશે? 1 - image


WorldCup Final 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ પણ સામે આવ્યા છે. રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ) અને રિચર્ડ કેટલબરો (ઇંગ્લેન્ડ) આ ફાઇનલ મેચમાં ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. જયારે થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે. તેમજ ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) ફોર્થ અમ્પાયર હશે. મેચ રેફરી ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ હશે.

રિચર્ડ કેટલબરો ભારત માટે રહ્યા છે અનલકી 

ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબરોનું અમ્પાયરિંગ ભારતીય ચાહકો માટે ચિંતાનો વિષય છે. છેલ્લી કેટલીક ICC ઈવેન્ટ્સમાં, જ્યારે તેણે ભારતની મેચમાં અમ્પાયરિંગ કર્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયા સાથે કંઈક અપ્રિય બન્યું છે. વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને T-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો.

કેટલબરો અમ્પાયર બનતા પહેલા પણ રહી ચૂક્યા છે ક્રિકેટર 

આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબરો 2014 T-20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ, 2016 T-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં ભારત માટે અનલકી રહ્યા હતા. 50 વર્ષીય કેટલબરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. કેટલબરોએ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા હતા.

રિચર્ડ ઇલિંગવર્થ પણ રહી ચૂકયા છે ભૂતપૂર્વ ક્રિકેટર

ભારત-ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું ત્યારે રિચર્ડ ઇલિંગવર્થ પણ અમ્પાયર હતા. રિચર્ડ ઇલિંગવર્થ ભૂતપૂર્વ ક્રિકેટર પણ છે. 60 વર્ષીય રિચર્ડ ઇલિંગવર્થ ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ અને 25 વન-ડે રમ્યા હતા. આ દરમિયાન તેણે 49 વિકેટ પણ લીધી છે. તેઓ 1992ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લિશ ટીમનો ભાગ હતો.

અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે ટીમ ઇન્ડિયા 

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ કપ 2023માં ભારતે અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની 10 મેચમાંથી 8માં જીત મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલ રમી હતી, જેમાં તેણે છેલ્લી સેમીફાઈનલ ટીમ ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી.

ટીમ ઇન્ડિયા ચોથી વાર પહોંચી ફાઈનલમાં 

હવે ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમશે. અત્યાર સુધી તેણે 7માંથી સૌથી વધુ 5 વખત ટાઇટલ જીત્યું છે. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો.

World Cup 2023 Final : ભારતીય ટીમ માટે અનલકી રહ્યા છે આ અમ્પાયર, શું ભારત ફાઈનલમાં રીવાજ બદલાશે? 2 - image



Google NewsGoogle News