Get The App

IPLમાં કોલકાતાના બે ખેલાડીઓના બેટ ટેસ્ટમાં ફેલ, અમ્પાયરે ચાલુ મેચમાં બેટ બદલાવ્યું

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
IPLમાં કોલકાતાના બે ખેલાડીઓના બેટ ટેસ્ટમાં ફેલ, અમ્પાયરે ચાલુ મેચમાં બેટ બદલાવ્યું 1 - image


Image Source: Twitter

PBKS vs KKR: IPL 2025ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. 15 એપ્રિલના રોજ રમાયેલી આ રોમાંચક મેચમાં કોલકાતાએ જીતેલી મેચ ગુમાવી દીધી અને તેણે 16 રનથી હારનો સામનો કરવું પડ્યું. હવે આ ટીમ પર ચીટિંગના આરોપ લાગી રહ્યા છે. વાસ્તવમાં મેચ દરમિયાન બે ખેલાડીઓ ગેજ ટેસ્ટમાં ફેલ ગયા, એટલે કે તેમનું બેટ ગેરકાયદેસર મળી આવ્યું. લાઈવ મેચ દરમિયાન સુનીલ નારાયણ અને એનરિક નોર્ખિયાના બેટની પહોળાઈ નિયમો પ્રમાણેની નહોતી. આ સિઝનમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ ખેલાડીના બેટને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હોય. 

અમ્પાયરે ચાલુ મેચમાં બેટ બદલાવ્યું 

પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પંજાબની ટીમ 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ કોલકાતા તરફથી સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક આ નાના ટાર્ગેટને ચેઝ કરવા માટે મેદાનમાં આવ્યા. ઈનિંગ શરૂ કરતા પહેલા રિઝર્વ અમ્પાયર સૈયદ ખાલિદે સુનીલ નારાયણના બેટની તપાસ કરી. આ દરમિયાન બેટનો સૌથી જાડો ભાગ અમ્પાયર દ્વારા હાજર ગેજમાંથી પસાર થઈ રહ્યો ન હતો અને નરેન બેટ સાઈઝના ટેસ્ટમાં ફેલ ગયો અને તેને પોતાનું બેટ બદલવાની ફરજ પડી.

અંગકૃષ રઘુવંશીના બેટની પણ તપાસ કરવામાં આવી, પરંતુ તેનું બેટ સંપૂર્ણપણે નિયમો પ્રમાણે હતું. ત્યારબાદ 16મી ઓવરમાં જ્યારે એનરિક નોર્ખિયા છેલ્લી વિકેટ તરીકે મેદાનમાં ત્યારે ઓન-ફીલ્ડ અમ્પાયર મોહિત કૃષ્ણદાસ અને સૈદર્શન કુમારે તેના બેટની સાઈઝ ટેસ્ટ કરી, જેમાં તે ફેલ ગયો. ત્યારબાદ રમત થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝ નોર્ખિયા માટે બીજી બેટ લાવ્યો, જેણે ગેજ ટેસ્ટ પાસ કર્યો. જોકે, તે તેનો ઉપયોગ કરી શક્યો નહીં કારણ કે આન્દ્રે રસેલ તરત જ બોલ્ડ થઈ ગયો હતો.

આ પણ વાંચો: IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો છોડાવ્યો હતો

શું છે બેટનો નિયમ?

પહેલા ડ્રેસિંગ રૂમની અંદર જ બેટની તપાસ કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે મેદાન પર જ તપાસ કરવામાં આવી રહી છે. જો આપણે નિયમો વિશે વાત કરીએ તો બેટના આગળના ભાગની પહોળાઈ 10.79 સેમીથી વધુ ન હોવી જોઈએ, જ્યારે તેના બ્લેડની જાડાઈ 6.7 સેમીથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત બેટની ધારની પહોળાઈ 4 સેમીથી વધુ ન હોવી જોઈએ અને લંબાઈ 96.4 સેમીથી વધુ ન હોવી જોઈએ.

Tags :