World Cup 2023 : ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, શુભમન ગિલ આજે આવી શકે અમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, શુભમન ગિલ આજે આવી શકે અમદાવાદ 1 - image


Shubman Gill Health Update : ભારતીય ક્રિકેટ ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી(IND vs AFG)માં અફઘાનિસ્તાન સામે ODI World Cup 2023માં ભારતની બીજી મેચ પહેલા ભારતીય ક્રિકટે ટીમ માટે સારા સમાચાર એ છે કે ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ભલે આજની મેચમાં નહી રમી શકે પરંતુ તે પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરના રોજ રમાનાર મેચમાં ટીમમાં સામેલ થવા માટે ફીટ થઇ શકે છે. આ કારણસર ગિલ ચેન્નઈ(Shubman Gill Will Be Travelling To Ahmedabad From Chennai)થી આજે અમદાવાદ આવવા માટે નીકળી શકે છે.

શુભમન ગિલ આજે અમદાવાદ આવી શકે

મળેલા અહેવાલો મુજબ શુભમન ગિલ આજે ચેન્નઈથી સીધો અમદાવાદ આવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(IND vs PAK)માં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ODI World Cup 2023ની તેની ત્રીજી મેચ રમશે. ડેન્ગ્યૂના કારણે ગિલ પ્રથમ બે મેચ રમી શક્યો નથી. ત્રીજી મેચમાં તે પાકિસ્તાન સામે રમશે કે નહીં તેના પર પછી વિચાર કરવામાં આવશે.

BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે ગિલ

શુભમન ગિલ સારવાર માટે ચેન્નઈમાં રોકાયો હતો, જેથી તે ભારતીય ટીમ સાથે દિલ્હી આવી શક્યો ન હતો. તે આજે અમદાવાદ જવા માટે તૈયાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગીલ આજે ચેન્નઈથી અમદાવાદ એક કોમર્શિયલ ફ્લાઈટમાં જશે. તે તેની રિકવરી ચાલુ રાખશે અને BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ત્યાં આરામ કરશે.

World Cup 2023 : ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, શુભમન ગિલ આજે આવી શકે અમદાવાદ 2 - image


Google NewsGoogle News