શરમજનક, વાહિયાત બેટિંગ, કંઈક તો ગરબડ છે... ઝિમ્બાબ્વે સામે હાર બાદ શુભમનનું મોટું નિવેદન

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
શરમજનક, વાહિયાત બેટિંગ, કંઈક તો ગરબડ છે... ઝિમ્બાબ્વે સામે હાર બાદ શુભમનનું મોટું નિવેદન 1 - image


T20 International Cricket Match: T-20 વર્લ્ડ કપમાં ટાઈટલ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત ઝિમ્બાબ્વે પહોંચી છે. યુવા ટીમમાં ઘણા મજબૂત ખેલાડીઓ સામેલ નથી. આવી સ્થિતિમાં, શુભમન ગિલની કપ્તાની હેઠળની આ ટીમ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર જીત સાથે નિવૃત્ત T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માના વારસાને આગળ વધારશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. ટીમે સારી બોલિંગ કરી પરંતુ બેટિંગમાં નિષ્ફળ રહી હતી.

હાર પર શુભમન ગીલે શું કહ્યું?

મેચ બાદ પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલે કહ્યું, 'મેચની અડધી ઇનિંગ્સ પૂરી થઈ ત્યાં સુધીમાં અમે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો હું અંત સુધી ક્રિઝ પર રહ્યો હોત તો સારું થાત. હું જે રીતે આઉટ થયો અને જે રીતે મેચ આગળ વધી તેનાથી હું ખૂબ જ નિરાશ છું. અમારા માટે થોડી આશા હતી. પરંતુ જો તમારો 10 નંબરનો બેટ્સમેન 115 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે મેદાન પર હોય, તો તમે જાણો છો કે કંઈક ગરબડ છે.

શુભમન ગિલ માને છે કે ટીમ તેની યોજનાઓ અમલમાં મૂકી શકી નથી. તેણે કહ્યું, 'અમે સમય કાઢીને અમારી બેટિંગનો આનંદ માણવાની વાત કરી હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. અમે નક્કી કરેલા ધોરણ પ્રમાણે રમી શક્યા નથી. દરેક જણ ક્યાંક અટવાયેલા લાગતાં હતા.

મેચમાં શું થયું?

શુભમન ગિલની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ ઓછા અનુભવી ઝિમ્બાબ્વે સામે 13 રનથી હારી ગઈ હતી. ભારતીય બોલરોએ ઝિમ્બાબ્વેને નવ વિકેટે 115 રન પર રોકી દીધું હતું. ઉછાળવાળી પીચને કારણે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવનાર ભારતીય બેટ્સમેનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખી ટીમ 19.5 ઓવરમાં 102 રનમાં સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર ટેન્ડાઈ ચતારા (16 રનમાં ત્રણ વિકેટ) અને કેપ્ટન સિકંદર રઝા (25 રનમાં ત્રણ વિકેટ)ના કારણે ઝિમ્બાબ્વેએ ભારતને હરાવીને અપસેટ સર્જ્યો હતો. 2024માં T20 ઈન્ટરનેશનલમાં ભારતની આ પહેલી હાર હતી. 


Google NewsGoogle News