શ્રદ્ધા કપૂરે મોહમ્મદ સિરાજને પૂછ્યો આ પ્રશ્ન, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ પોસ્ટ

સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ ઝડપી હતી

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
શ્રદ્ધા કપૂરે મોહમ્મદ સિરાજને પૂછ્યો આ પ્રશ્ન, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ પોસ્ટ 1 - image
Image:Social Media

એશિયા કપ 2023ની ફાઈનલમાં જીત બદલ ભારતીય ટીમને ઘણાં સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયા પર ગઈકાલની મેચના સ્ટાર મોહમ્મદ સિરાજને લઈને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરતા એક ખાસ વાત લખી હતી. સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગના કારણે શ્રીલંકાની ટીમ 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી.

શ્રદ્ધાએ સિરાજને પૂછ્યો આ પ્રશ્ન

શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે પોતાની એક ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હવે સિરાજને જ પૂછો કે આ ફ્રી ટાઈમ સાથે શું કરીએ....' શ્રદ્ધાએ સિરાજને લઈને લખેલી આ લાઈન સોશ્યલ મીડિયા પર ઘણાં યુઝર્સે શેર કરી હતી. સિરાજે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં 7 ઓવરમાં 21 રન આપી 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે એક મેદાન ઓવર પણ ફેંકી હતી.

અનુષ્કા શર્માએ કર્યા સિરાજના વખાણ

બોલીવૂડ એક્ટ્રેસ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ સિરાજના વખાણ કર્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિરાજની ફોટો શેર કરતા લખ્યું હતું કે, 'શું વાત છે મિયાં મેજિક.' મોહમ્મદ સિરાજને ઈન્સ્ટાગ્રામ તેમજ એક્સ અને ફેસબુક દ્વારા પણ અભિનંદન મળી રહ્યા છે.  


Google NewsGoogle News