રોહિતનું ટેન્શન દૂર! ટેસ્ટમાં પહેલીવાર ડેબ્યૂ કરશે આ તોફાની બેટર, ટીમ માટે ભજવશે 'મેચ વિનર' ની ભૂમિકા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
રોહિતનું ટેન્શન દૂર! ટેસ્ટમાં પહેલીવાર ડેબ્યૂ કરશે આ તોફાની બેટર, ટીમ માટે ભજવશે 'મેચ વિનર' ની ભૂમિકા 1 - image


Image: Facebook

India vs Bangladesh Test Series: શ્રીલંકાના પ્રવાસ બાદ હવે ટીમ ઈન્ડિયાએ પોતાના જ ઘરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. બંને દેશની વચ્ચે ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે. ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ પણ રમાશે. કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન દૂર કરવા હવે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ભારતનો સૌથી ખૂંખાર બેટ્સમેન ઉતરી શકે છે. ભારતનો આ બેટ્સમેન છગ્ગા અને ચોગ્ગા ફટકારે છે.

ટેસ્ટમાં પહેલી વખત આ ખૂંખાર બેટ્સમેન ઉતરશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જવા માટે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ વિરુદ્ધ આ બે મેચની ટેસ્ટ સિરીઝ દરેક સ્થિતિમાં જીતવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારત હાલ ટોપ પર છે. ભારતે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલમાં અત્યાર સુધી 9 મેચ રમી છે. ભારતે આ દરમિયાન 6 ટેસ્ટ મેચમાં જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાને આ સિવાય 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ભારતની જીત હાલ 68.52 ટકા છે. પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 પર રહેનારી ટીમો જ વર્ષ 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમશે.

રોહિતનું ટેન્શન દૂર કરશે આ ઘાતક બેટ્સમેન

બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે જોખમી બેટ્સમેન રિંકુ સિંહને ઉતારી શકાય છે. રિંકુ સિંહનો ફર્સ્ટ ક્લાસમાં પણ ખૂબ સારો રેકોર્ડ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના રેકોર્ડ જણાવે છે કે રિંકુ સિંહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સૌથી બેસ્ટ બેટ્સમેન છે. રિંકુ સિંહે 47 ફર્સ્ટ ક્લાસ મેચમાં 54.70 ની સરેરાશ અને 71.59 ના સ્ટ્રાઈક રેટથી 3173 રન બનાવ્યા છે. રિંકુ સિંહે આ દરમિયાન 7 સદી અને 20 અડધીસદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રિંકુ સિંહનો બેસ્ટ સ્કોર 163 રન છે. ભારતને ટેસ્ટ ક્રિકેટમાં નંબર-5 બેટિંગ પોઝિશન માટે રિંકુ સિંહ જેવા ખૂંખાર બેટ્સમેનની જ જરૂર છે. 

ભારતનો આ મેચ વિનર તબાહી મચાવશે

રિંકુ સિંહ ક્રીજ પર ઉતરતાં જ પોતાના બેટથી ભયંકર તબાહી મચાવે છે. રિંકુ સિંહ જેવા મેચ વિનરની ભારતને વર્ષોથી શોધ હતી. રિંકુ સિંહ જ્યારે પણ પિચ પર પગ મૂકે છે, તો તે પોતાની તોફાની બેટિંગથી ટીમ ઈન્ડિયાને દરેક બાજી જીતાડવાનો દમ રાખે છે. રિંકુ સિંહ બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. રિંકુ સિંહ એક શ્રેષ્ઠ ઓફ સ્પિન બોલર પણ છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બેસ્ટ સ્પિન ઓલરાઉન્ડર પણ બની શકે છે.

તોફાની બેટિંગનું ટ્રેલર બતાવી ચૂક્યો છે

રિંકુ સિંહ IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સમગ્ર દુનિયાને પોતાની તોફાની બેટિંગનું ટ્રેલર બતાવી ચૂક્યો છે. રિંકુ સિંહ સ્પિન અને ઝડપી બોલિંગને શ્રેષ્ઠ રીતે રમે છે. રિંકુ સિંહે ભારત માટે અત્યાર સુધી 23 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 23 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 59.71 ની શ્રેષ્ઠ સરેરાશ અને 174.16ના સ્ટ્રાઈક રેટથી 418 રન બનાવ્યા છે, જેમાં 33 ચોગ્ગા અને 26 છગ્ગા સામેલ રહ્યાં છે. રિંકુ સિંહે ટી20 ઈન્ટરનેશનલમાં 2 અડધીસદી ફટકારી છે. આ સિવાય રિંકુ સિંહે ટી20 ઈન્ટરનેશનલમાં 2 વિકેટ પણ લીધી છે. રિંકુ સિંહ 2 વનડે મેચમાં 55 રન બનાવ્યા સિવાય 1 વિકેટ પણ લીધી છે.

ચાહકોને પૂરો વિશ્વાસ

રિંકુ સિંહની તોફાની બેટિંગ પર ચાહકોને વિશ્વાસ છે કે તે બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાં મોટો ધમાકો જરૂર કરશે. છેલ્લા અમુક સમયમાં રિંકુ સિંહ જોખમી બેટ્સમેન બની ગયો છે. રિંકુ સિંહે આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સ સામે એક આઈપીએલ મેચની અંતિમ ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી. આ ઈનિંગ બાદ રિંકુ સિંહ ખૂબ ફેમસ થઈ ગયો હતો. ભારતને પોતાની ટીમમાં વધુથી વધુ મેચ ફિનિશર્સની જરૂર છે અને રિંકુ સિંહ તે ઉણપને પૂરી કરતો નજર આવી રહ્યો છે.


Google NewsGoogle News