VIDEO : વાનખેડેમાં સચિનના સ્ટેચ્યુ પર રોહિતનું નિવેદન સાંભળી લોકો હસી પડ્યા

વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે સચિનના લાઈફ સાઈઝ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
VIDEO : વાનખેડેમાં સચિનના સ્ટેચ્યુ પર રોહિતનું નિવેદન સાંભળી લોકો હસી પડ્યા 1 - image
Image:Screengrab

World Cup 2023 IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની 33મી મેચ વાનખેડેમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની તેમના ટ્રેડમાર્ક 'સ્ટેટ લોફ્ટેડ ડ્રાઈવ' પોઝમાં ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં જ લાઈફ સાઈઝ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મેચ પહેલા પ્રી-મેચ કોન્ફ્રેંસમાં જયારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને વાનખેડે(Rohit Sharma Reacted On Sachin Tendulkar Statue)ના મેદાન પર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના લાઈફ સાઈઝ સ્ટેચ્યુ વિશે પૂછવામાં આવ્યું તો તે આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો.

'મેં નથી જોયું કે તે કવર ડ્રાઈવ છે કે સ્ટ્રેટ લોફટેડ શોટ'

રોહિત શર્માને પ્રી-મેચ કોન્ફ્રેંસમાં પૂછવામાં આવ્યું હતું કે, 'વાનખેડેના મેદાન પર સચિન તેંડુલકરનો એક લોફટેડ ડ્રાઈવ સ્ટેચ્યું લગાવવામાં આવ્યું છે, તમે મુંબઈના એક બેટ્સમેન તરીકે શું કહેશો ?' આ પ્રશ્ન પર રોહિતે જવાબ આપ્યો, 'અમને હજુ સુધી સ્ટેચ્યુંને નજીકથી જોવાનો મોકો મળ્યો નથી, અમે પ્રેક્ટિસ સેશન પછી સીધા અહીં આવ્યા છીએ. મેં હજી સુધી જોયું નથી કે તે કવર ડ્રાઇવ છે કે સ્ટ્રેટ લોફ્ટેડ શોટ, પણ અમે તે ટૂંક સમયમાં જોઈશું.'

રોહિત શર્મા જવાબ આપતા જોરથી હસી પડ્યો

રોહિત શર્માએ જવાબ આપતા આગળ કહ્યું, 'હું તેના વિશે શું કહું, ત્યાં સ્ટ્રેટ લોફ્ટેડ શોટનો સ્ટેચ્યું બનાવવામાં આવ્યું છે!' આ કહ્યાં પછી રોહિત શર્મા જોરથી હસી પડ્યો અને આગળ કહ્યું, 'તમે લોકો પણ જાઓ અને જુઓ, તે ખરેખર અદ્ભુત છે.' મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે સચિન તેંડુલકરના સ્ટેચ્યુંનું અનાવરણ કરવામાં આવ્યું હતું

VIDEO : વાનખેડેમાં સચિનના સ્ટેચ્યુ પર રોહિતનું નિવેદન સાંભળી લોકો હસી પડ્યા 2 - image


Google NewsGoogle News