‘ગાર્ડન મેં ઘૂમને વાલે…’, ખેલાડીઓ સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર, જાણો કોના માટે કહી હતી આ વાત

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું હતું

ભારતે ઇંગ્લેન્ડને 4-1થી હરાવી સીરિઝ પોતાના નામે કરી હતી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
‘ગાર્ડન મેં ઘૂમને વાલે…’, ખેલાડીઓ સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર, જાણો કોના માટે કહી હતી આ વાત 1 - image
Image: File Photo

Rohit Sharma Share Post With Team Mates : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ધર્મશાલામાં એક ઇનિંગ અને 64 રને હરાવીને ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી હતી. આ શાનદાર જીત બાદ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પસાર કરતા જોવા મળ્યા હતા. ટીમના કેપ્ટન રોહિત શર્માએ સાથી ખેલાડીઓ સાથે એક ખાસ તસવીર શેર કરી હતી. ચાહકોએ આ તસવીર કરતાં તેના કેપ્શનને વધુ પસંદ કર્યું હતું.

યુવા ખેલાડીઓ સાથે શેર કરી તસવીર

રોહિત શર્માએ પોતાની ટીમના યુવા ખેલાડીઓ સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં રોહિત સાથે ધ્રુવ જુરેલ, ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન અને 2 બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ અને શુભમન જોવા મળ્યા હતા. રોહિત શર્માએ તસવીરમાં કેપ્શન લખ્યું, 'ગાર્ડન મેં ઘૂમને વાલે લોગ...' રોહિતે જે કેપ્શન લખ્યું તેના પાછળ એક મહત્ત્વનું કારણ છે.

ફિલ્ડિંગ વખતે રોહિતે યુવા ખેલાડીઓને આપ્યો હતો ઠપકો

રોહિત શર્મા રાંચી ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે યુવા ખેલાડીઓને ઠપકો આપતો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે યુવા ખેલાડીઓને કહે છે, 'ગાર્ડન મેં ઘૂમતે હુએ દેખા તો, $#%%^...' એટલે ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ રોહિતે કેપ્શનમાં આ વાત લખી છે. આ પોસ્ટ દ્વારા રોહિત ફેન્સને જણાવી રહ્યો છે કે, તેણે કયા ખેલાડીઓને આવું કહ્યું હતું.  

યુવરાજ અને સૂર્યાએ પણ કોમેન્ટ કરી

રોહિત શર્માએ શેર કરેલી તસવીર પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એક હસતું ઇમોજી પોસ્ટ કર્યું હતું. સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરતા લખ્યું, 'યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ બગીચામાં ફરતા છોકરાઓ જેવા જ દેખાય છે.' 


Google NewsGoogle News