ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિતે એરપોર્ટ પર એવુ કર્યું કે,જીતી લીધા ફેન્સના દિલ
નવી દિલ્હી,તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીતથી તમામ ભારતીય ચાહકો ખૂબ જ ખુશ છે. વર્ષ 2018 બાદ ભારત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામેની જીત બાદ ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્માની સાથે વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. આ તમામ ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા બાદ વતન જવા રવાના થયા હતા.
આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ફેન્સ એરપોર્ટ પર ના પહોંચે તો જ નવાઇ. એરપોર્ટની બહાર ફેન્સનો જમાવડો થયો હતો.
મુંબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પોતાની મર્સિડીઝ એસ ક્લાસ કાર જાતે ચલાવીને બહાર આવ્યા હતા. કલાકો સુધી ગેટ પાસે ઉભેલા ચાહકોને જોઈને રોહિત શર્માએ ફેન્સના દિલ જીતી લીધા હતા.
પોતાના ફેન્સ માટે રોહિત શર્માએ પોતાની કાર રોકી હતી અને બહાર આવીને ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોઇ શકાય છે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં જે પ્રકારનું પ્રદર્શન બતાવ્યું તેની સાથે તેણે આગામી ODI વર્લ્ડ કપની તૈયારીઓ વિશે પણ જણાવ્યું છે. બધાની નજર આ ટૂર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલના પ્રદર્શન પર હતી. બંને ખેલાડીઓએ પોતાની ફિટનેસ અને રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે તમામ ચાહકોને આશા છે કે આગામી વનડે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા તરફથી આવું જ પ્રદર્શન જોવા મળશે.