IPL 2025 પહેલા રવિચંદ્રન અશ્વિનની CSKમાં વાપસી, મળી મોટી જવાબદારી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
IPL 2025 પહેલા રવિચંદ્રન અશ્વિનની CSKમાં વાપસી, મળી મોટી જવાબદારી 1 - image


Image: Facebook

Ravichandran Ashwin: રવિચંદ્રન અશ્વિન જો આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે સીએસકે માટે રમતો નજર આવે તો ચોંકતા નહીં કેમ કે આર અશ્વિને ફરીથી ઈન્ડિયા સીમેન્ટ્સ જોઈન કરી લીધું છે. આ રીતે તેમની વાપસી સીએસકે સેટઅપમાં થઈ ગઈ છે. અશ્વિનને આ વાપસીની સાથે એક મોટી જવાબદારી પણ મળી છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ હાઈ પરફોર્મન્સ સેન્ટરનો ચીફ બનવા જઈ રહ્યો છે. સીએસકેનું આ હાઈ પરફોર્મન્સ સેન્ટર શહેરના બહારના વિસ્તારમાં બની રહ્યું છે અને આગામી IPL સત્રની શરૂઆત પહેલા સંપૂર્ણ રીતે તે શરૂ થવાની આશા છે. 

રિપોર્ટ અનુસાર આ ટ્રાન્સફર મૂવનો અર્થ એ વાતની પ્રબળ સંભાવના છે કે અશ્વિન આ વર્ષના અંતમાં થનારા મેગા ઓક્શનમાં CSK ની સાથે ફરીથી જોડાઈ શકે છે. આ એક મોટી ખેલાડી હરાજી છે, તેથી CSK અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ટ્રેડ ઓફની સંભાવના ખતમ થઈ ગઈ છે, કેમ કે કદાચ રાજસ્થાન રોયલ્સ અશ્વિનને રિટેન કરી શકશે નહીં. તેની પાછળનું કારણ એ છે કે માત્ર 3+1 ખેલાડીને જ રિટેન કરવાની પરવાનગી મળવાની શક્યતા છે, જેમાં એક ખેલાડી આરટીએમ દ્વારા પોતાની સાથે જોડાઈ શકે છે.

જો CSK હરાજીમાં અશ્વિનને પ્રાપ્ત કરી શકતી નથી તો તેની પાસે એકમાત્ર અન્ય શક્યતા એ છે કે પ્લેયર્સ ઓક્શન બાદ તેને ટ્રેડ કરે. સીએસકેના સીઈઓ કે વિશ્વનાથને કહ્યું, આ સંપૂર્ણ રીતે હરાજીની ગતિશીલતા પર નિર્ભર કરે છે, કેમ કે અમે તેની પર નિયંત્રણ રાખી શકતા નથી. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે શું અવસર પોતે જ સામે આવે છે. તેમણે આગળ જણાવ્યું, સૌથી પહેલા અશ્વિન આપણા હાઈ પરફોર્મન્સ સેન્ટરની જવાબદારી સંભાળશે અને તેના ક્રિકેટ સંબંધિત કાર્યોને સંભાળશે, જેમાં કાર્યક્રમ અને બાકી બધું સામેલ છે. 

સીએસકેના સીઈઓએ પુષ્ટિ કરતા જણાવ્યું, અમે તેને ફરીથી સાઈન કરી લીધો છે. તે હવે CSK વેન્ચરનો ભાગ છે અને TNCA ફર્સ્ટ-ડિવીઝનમાં ઈન્ડિયા સીમેન્ટ્સ ટીમ માટે પણ રમશે. ગત અમુક વર્ષોથી અશ્વિનના ઈન્ડિયા સીમેન્ટ્સમાં જવાની વાત ચાલી રહી હતી. IPL 2024થી પહેલા અશ્વિનના 100મી ટેસ્ટ અને 500 વિકેટ પૂરી કરવાની ઉજવણીમાં ઈન્ડિયા સીમેન્ટ્સે એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ઈન્ડિયા સીમેન્ટ્સના માલિક એન શ્રીનિવાસને ભારતીય ક્રિકેટરના ખૂબ વખાણ કર્યા હતા. આ એચપીસીમાં ચેન્નઈ, જોહાનિસબર્ગ અને ટેક્સાસના ખેલાડી ભાગ લઈ શકે છે. 

અશ્વિને આ નવી ભૂમિકાને લઈને કહ્યું, રમતને આગળ વધારવી અને ક્રિકેટ જગતમાં યોગદાન આપવું મારું પ્રાથમિક લક્ષ્ય છે. ઓલરાઉન્ડર આગામી અઠવાડિયાઓમાં ઔપચારિકતાઓ પૂરી કરશે, જ્યારે તે નાના બ્રેકથી પાછો આવશે. અશ્વિન વર્ષ 2008થી 2015 સુધી સીએસકે માટે રમી ચૂક્યો છે અને 2009 અને 2010માં જે રીતનું પ્રદર્શન તેમણે ટીમ માટે કર્યું હતું, તેનાથી તેને ભારતીય ટીમમાં આવવાની તક મળી હતી. અશ્વિન તે બાદ પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે.


Google NewsGoogle News