હવે પંતના કરિયર માટે ખતરો બન્યાં આ 3 વિકેટ કીપર, કાયમ માટે છીનવી શકે છે ટીમમાં સ્થાન!

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
હવે પંતના કરિયર માટે ખતરો બન્યાં આ 3 વિકેટ કીપર, કાયમ માટે છીનવી શકે છે ટીમમાં સ્થાન! 1 - image

This 3 Wicket Keeper Can Be A Threat To Rishabh Pant: રિષભ પંતને હાલમાં શ્રીલંકાના પ્રવાસમાં મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકા સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું ન હતું, અને તેની જગ્યાએ કેએલ રાહુલને વિકેટકીપર(અને બેટર) તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. કેએલ રાહુલે ઋષભ પંતની ગેરહાજરીમાં વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ માટે વિકેટકીપિંગ કર્યું હતું. તે સમયે એક ભયાનક અકસ્માતમાં થયેલી ઈજામાંથી પંત સાજો થઈ રહ્યો હતો. વર્લ્ડકપ 2023 દરમિયાન પોતાની શાનદાર વિકેટકીપિંગથી કેએલ રાહુલે કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીતી લીધો હતો. આ જ આત્મવિશ્વાસના કારણે શ્રીલંકા વનડે સીરિઝમાં પંત કરતાં કેએલ રાહુલને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે પંતને વનડે ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે માત્ર કેએલ રાહુલ સામે જ નહીં પરંતુ અન્ય બે ખતરનાક વિકેટકીપર અને બેટર સામે પણ લડવું પડશે. ક્યાં 3 ખતરનાક વિકેટકીપર પંતને ટીમમાં સામેલ થતા રોકી શકે છે?

1. ઇશાન કિશન

ભારતીય ટીમમાંથી ઘણાં દિવસોથી બહાર ચાલી રહેલા ઈશાન કિશનની નજીકના ભવિષ્યના ટીમમાં વાપસી થઇ શકે છે. ઈશાન આગામી ઘરેલું ક્રિકેટની સીઝન માટે ઝારખંડ રાજ્ય તરફથી રમવા તૈયાર થઇ ગયો છે. ઈશાને આ નિર્ણય ભારતીય ટીમમાં વાપસીને ધ્યાનમાં રાખીને લીધો છે. અગાઉ ઈશાને ઘરેલું ક્રિકેટ રમવાની બીસીસીઆઈની શરત ન સ્વીકારીને તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યો હતો. જોકે, હવે ઈશાન બધુ ઠીક કરવાના મૂડમાં છે. આ સ્થિતિમાં રિષભ પંત માટે મુશ્કેલી વધી જશે. યુવા વિકેટકીપર અને બેટર ઈશાન કિશનને રિષભ પંત કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. ઈશાને ટીમ માટે અત્યાર સુધીમાં 27 વનડે મેચમાં 42.41ની સરેરાશથી 933 રન બનાવ્યા છે. તેનો વનડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 210 રન છે.

આ પણ વાંચો: Paris Olympics LIVE: હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી; બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ અને લોંગ જમ્પમાં ભારત બહાર

2. કેએલ રાહુલ

રિષભ પંતની જગ્યા માટે કેએલ રાહુલ સૌથી મોટો ખતરો સાબિત થઇ શકે છે. શ્રીલંકા સામેની વર્તમાન વનડે શ્રેણી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જો આ વનડે સીરિઝ દરમિયાન તેનું વિકેટ કીપર અને બેટર તરીકેનું પ્રદર્શન સારું રહેશે તો રિષભ પંત માટે મુશીબત બની શકે છે. જેથી પંતને વનડે ટીમમાં સ્થાન મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. જો રાહુલ વનડે ફોર્મેટમાં વિકેટકીપિંગ કરે છે, તો ભારતીય ટીમને એક વધારાના ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરવાનો વિકલ્પ મળે છે. તેથી જ પંતને વનડે ટીમમાં તક નથી મળી રહી. કેએલ રાહુલે અત્યાર સુધી 76 વનડે મેચોમાં 50.02ની સરેરાશથી 2851 રન બનાવ્યા છે. અને વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન છે. કેએલ રાહુલે વનડેમાં 7 સદી અને 18 અડધી સદી ફટકારી છે. રિષભ પંતનો વનડે રેકોર્ડ કેએલ રાહુલ કરતા થોડો નબળો છે. રિષભ પંતે અત્યાર સુધીમાં 30 વનડે મેચોમાં 34.6ની સરેરાશથી 865 રન બનાવ્યા છે. રિષભ પંતે વનડેમાં 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

3. સંજુ સેમસન

વિકેટકીપર બેટર સંજુ સેમસન ભારતીય ટીમ માટે મિડલ ઓર્ડર માટે શ્રેષ્ઠ વિલ્ક્પ બની શકે છે. સેમસન કોઈપણ બોલિંગ ઓર્ડર સામે બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. સેમસન જે રીતે છગ્ગા મારવાની ક્ષમતા ધરાવે છે. તે બહુ ઓછા ભારતીય બેટરમાં જોવા મળે છે. સંજુએ 16 વનડે મેચોમાં 510 રન અને 30 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 444 રન બનાવ્યા છે. વિસ્ફોટક બેટિંગ ઉપરાંત, સંજુ શાનદાર વિકેટકીપિંગ પણ કરે છે. સેમસન ટીમ માટે વિકેટકીપર, મેચ ફિનિશર અને ઓપનરની ભૂમિકા પણ ખૂબ સારી રીતે ભજવી શકે છે. સંજુ સેમસને વર્ષ 2015માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

હવે પંતના કરિયર માટે ખતરો બન્યાં આ 3 વિકેટ કીપર, કાયમ માટે છીનવી શકે છે ટીમમાં સ્થાન! 2 - image


Google NewsGoogle News