Get The App

IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં આ દિગ્ગજની વાપસી, માર્ક બાઉચરની જગ્યાએ બન્યો હેડ કોચ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
jayawardane



Mumbai Indians: IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના પૂર્વ સ્ટાર ખેલાડી જયવર્ધનેને ફરી હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, જયવર્દનેના અત્યાર સુધી મુંબઈ સાથે સારા સંબંધો રહ્યા છે અને તે અગાઉ પણ વર્ષ 2017થી 2022 સુધી હેડ કોચની જવાબદારી સંભાળી ચૂક્યો છે. તે ટીમમાં માર્ક બાઉચરનું સ્થાન લેશે. 

જયવર્દને ત્રણ ટાઇટલ અપાવ્યા

માર્ક બાઉચર 2023 અને 2024માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા. પરંતુ હવે જયવર્દને તેનું સ્થાન લેશે. કોચ તરીકે જયવર્દનેનો રેકોર્ડ સારો છે. જયવર્દનેની હાજરીમાં મુંબઈએ ત્રણ ટાઇટલ જીત્યા હતા. ટીમે 2017, 2019 અને 2020માં આઈપીએલ ચેમ્પિયન્સનો ટાઇટલ જીત્યો હતો. મુંબઈ અત્યાર સુધીમાં પાંચ વખત ટાઈટલ જીત્યું છે. મુંબઈએ 2022માં જયવર્દનેને મહત્વની જવાબદારી સોંપી હતી. તેને ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ બનાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે વિમેન્સ પ્રીમિયર લીગ, મેજર લીગ ક્રિકેટ (MLC) અને મુંબઇ ઇન્ડિયન્સ અમિરાત (MIE) માં મુંબઇ ઇન્ડિયન્સ માટે મદદરૂપ સાબિત થયો હતો.

આ પણ વાંચોઃ કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો પણ રેકૉર્ડ તોડ્યો

છેલ્લી સિઝન ખરાબ રહી હતી 

IPL 2024 માં મુંબઈએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. મુંબઈએ તે સિઝનમાં કુલ 14 મેચમાંથી માત્ર ચાર જ મેચ જીતી હતી., જ્યારે  10 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં ઘણા મોટા ખેલાડીઓ હતા. પરંતુ તેમ છતાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. 

કેપ્ટન અંગે થયો હતો વિવાદ 

મુંબઈ માટે છેલ્લી સિઝન અત્યારસુધીની સૌથી ખરાબ સિઝન રહી હતી. તે પાછળનું એક કારણ કેપ્ટનશિપ માનવામાં આવે છે. ટીમે રોહિત શર્માને પદ પરથી હટાવી દીધો હતો. રોહિત મુંબઈનો સફળ કેપ્ટન રહ્યો છે. પરંતુ તેને કોઈ માહિતી આપ્યા વગર જ પદ પરથી હટાવી દેવાયો હતો અને રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી હતી. હાર્દિક તે સમયે પોતાના અંગત જીવનને લઈને ચિંતિત હતો. આથી તેની અસર તેના પરફોર્મન્સ પર પણ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ IND vs BAN: બુમરાહ, કુલદીપ અને પંડ્યાને પછાડી આ 24 વર્ષના ખેલાડીએ રચ્યો ઈતિહાસ



Google NewsGoogle News