Get The App

રોહિત, વિરાટ અને જાડેજા માટે છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી: આકાશ ચોપડાની ભવિષ્યવાણી

Updated: Feb 15th, 2025


Google News
Google News
રોહિત, વિરાટ અને જાડેજા માટે છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી: આકાશ ચોપડાની ભવિષ્યવાણી 1 - image


Image: Facebook

ICC Champions Trophy 2025: ઇંગ્લૅન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયાની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર છે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક આઇસીસી ટુર્નામેન્ટ પોતાના નામે કરવા ઇચ્છશે. સાથે જ આ ભારતના ઘણા દિગ્ગજો માટે અંતિમ ચેમ્પિયન્સ ટ્રોફી હોઈ શકે છે. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા મુખ્ય છે. પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી કોહલી, રોહિત અને જાડેજા માટે અંતિમ આઇસીસી ઈવેન્ટ હોઈ શકે છે.

આગામી વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ

આકાશ ચોપડાનું માનવું છે કે ત્રણેય સીનિયર ખેલાડી 2027ની આગામી વનડે વર્લ્ડ કપ સુધી રાહ જોશે નહીં. કોહલી, રોહિત અને જાડેજાએ ભારતની 2024 ટી20 વર્લ્ડ કપ બાદ ટી20થી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. આ નિર્ણયે એ વાત પર વધુ ચર્ચા છેડી દીધી કે શું તે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઇસીસી ટુર્નામેન્ટોમાં પોતાના વનડે કરિયરને પણ સમાપ્ત કરી દેશે. પોતાના તાજેતરના યુટ્યૂબ વીડિયોમાં આકાશ ચોપડાએ સમજાવ્યું કે કેવી રીતે ત્રણેય ટુર્નામેન્ટ માટે પોતાના આઇસીસી કરિયરને સમાપ્ત કરવાની એક સારી તક હશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC વનડે રેન્કિંગની જાહેરાત: ભારત-ઓસ્ટ્રેલિયા ટોપ-2માં, પાકિસ્તાનને નુકસાન

આકાશ ચોપડાએ શું કહ્યું?

પૂર્વ ક્રિકેટરે કહ્યું કે '2027ના વનડે વર્લ્ડ કપનું લક્ષ્ય બનાવવું અમારા માટે અવાસ્તવિક હશે. હું ભારે મનથી કહી રહ્યો છું. એક મજબૂત શક્યતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી થવાની છે અને તે બાદ આ વર્ષે વધુ એક આઇસીસી ઈવેન્ટ થશે, જે ડબલ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઇનલ છે અને અમે ત્યાં પહોંચ્યા નથી. તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજામાંથી કોઈ પણ રમશે નહીં. તે બાદ આગામી વર્ષની આઇસીસી ઈવેન્ટ ટી20 વર્લ્ડ કપ છે પરંતુ ત્રણેયે તે ફોર્મેટથી સંન્યાસ લીધો છે. તો ત્રણેય ત્યાં પણ રમશે નહીં. વનડે વર્લ્ડ કપ 2027માં હશે, જે ખૂબ દૂર છે. 2027 સુધી દુનિયા ખૂબ અલગ દેખાશે. મને લાગે છે કે ખેલાડીઓને પણ લાગે છે કે આ તેમની અંતિમ મેચ હોઈ શકે છે.'

ચેમ્પિયન્સ ટ્રોફીથી પહેલા ફોર્મમાં રોહિત-કોહલી

36 વર્ષની ઉંમરમાં કોહલી અને જાડેજા, 37 વર્ષીય રોહિતની સાથે એક દાયકાથી વધુ સમયથી ભારતીય ક્રિકેટના સ્તંભ રહ્યા છે. આઇસીસી ટુર્નામેન્ટમાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભલે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં તેમના પ્રદર્શને ચિંતાઓ પેદા કરી હોય. જોકે, ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ભારતની વનડે સીરિઝમાં તેના મજબૂત પ્રદર્શને સંકેત આપ્યો કે તેની પાસે હજુ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઘણું બધું આપવાની ક્ષમતા છે.

Tags :
ICC-Champions-Trophy-2025Aakash-ChopraPrediction

Google News
Google News