'ઈજા છતા પસંદગી થઈ તેની ખુશી', IPLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં

ભાવનગરના ખેલાડી ચેતન સાકરીયાને કોલકાતાની ટીમે રૂ.પ૦ લાખમાં ખરીદ્યો

ઈજાના કારણે પાંચ માસથી ક્રિકેટથી દૂર હતો છતાં ખરીદી થઇ તેનો આનંદ છે : ચેતન સાકરીયા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
'ઈજા છતા પસંદગી થઈ તેની ખુશી', IPLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં 1 - image


IPL Auction 2023 : ઈન્ડીયન પ્રિમીયર લીગ-૨૦૨૩માં ભાવનગરના એક ખેલાડીને સ્થાન મળ્યુ છે તેથી ભાવનગરવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ વર્ષે પણ ભાવનગરનો એક ખેલાડી આઈપીએલમાં રમતા જોવા મળશે. સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના ખેલોડીએ ગૌરવ વધાર્યુ છે. ગત વર્ષે ભાવનગરના બે ખેલાડીઓને આઈપીએલમાં સ્થાન મળ્યુ હતું. 26 વર્ષિય ચેતન સાકરિયા ભારતના બોલર છે. તેઓ ડાબા હાથેથી બેટિંગ કરે છે. તેમણે IPL-2023માં કુલ 19 મેચ રમી છે.

ભાવનગરનો ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. ખેલાડી ચેતન સાકરીયા સતત ચોથા વર્ષે આઈપીએલ રમશે, ભાવનગર શહેરની નજીક આવેલ વરતેજ ગામે ચેતન રહે છે. આજે મંગળવારે ઈન્ડીયન પ્રીમીયર લીગ-ર૦ર૩નુ ઓક્શન હતું, જેમાં જુદી જુદી ટીમના માલિકો દ્વારા સારા ખેલાડીઓને પોતાની ટીમમાંથી રમવા માટે ખરીદવામાં આવ્યા હતા એટલે કે કરાર કરવામાં આવ્યા હતાં. આઈપીએલના ઓક્શનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને કોલકાતા(કેકેઆર)ની ટીમે રૂ. ૫૦ લાખમાં ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિલ્હી કેપીટલ્સની ટીમે ચેતનને રૂ. ૪.૨૦ કરોડની બોલી લગાવી ખરીદ્યો હતો અને બે વર્ષ પૂર્વે ચેતનને રાજસ્થાન રોયલ્સની ટીમે રૂ. ૧.૨ કરોડની બોલી બોલી ખરીદ્યો હતો. બે વર્ષ પૂર્વે રાજસ્થાનની ટીમમાંથી રમતા સુંદર દેખાવ કર્યો હતો અને ત્યારબાદ તેની ભારતની ઈન્ટરનેશનલ ટીમમાં પણ પસંદગી હતી.

'ઈજા છતા પસંદગી થઈ તેની ખુશી', IPLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં 2 - image

ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા આશરે ૧૩ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો અને ભાવનગર શહેરની સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં નિયમીત કોચીંગ લેતો હતો. ક્રિકેટ કલબના સિનીયર ખેલાડીઓ દ્વારા તેને કોચીંગ આપવામાં આવતુ હતું. ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેણે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. તે આઈપીએલ-૨૦૨૦માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો, જેમાં તેને કેટલાક ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે પ્રેકટીસ કરવા મળી હતી તેથી તેનો સારો અનુભવ મળ્યો હતો. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે આવેલ એમઆરએફની ક્રિકેટ એકેડેમીમાં તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા પાસે તાલીમ લીધી હતી તેથી તેને ઘણુ શીખવા મળ્યુ હતું. આઈપીએલ અને ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમ્યા બાદ ચેતનને સારો અનુભવ મળ્યો હોવાનુ જાણવા મળેલ છે. દિલ્હી ટીમમાં ખાસ પ્રદર્શન નહી હોવાથી અગાઉની સરખામણીએ ચેતનને ઓછી રકમમાં ખરીદવામાં આવ્યો છે. ભાવનગરના એક ક્રિકેટ ખેલાડીને આઈપીએલમાં સ્થાન મળતા ભાવનગરવાસીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે. 

આઇપીએલમાં પસંદગી થઇ તેની ખુશી છે: ચેતન સાકરીયા

ખેલાડી ચેતન સાકરીયાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આઇપીએલમાં પસંદગી થઇ તેની ખુશી છે. ઇન્જરીના કારણે છેલ્લા પાંચ માસથી ક્રિકેટથી દૂર હતો છતાં મારી પસંદગી થઇ તેનો આનંદ છે.

ભાવનગરના હજુ બે ખેલાડી આઈપીએલ ઓક્શનમાં 

ઈન્ડીયન પ્રિમીયર લીગ-૨૦૨૩ના ઓક્શનમાં ભાવનગરના કુલ ત્રણ ખેલાડી હતા, જેમાં ચેતનની ખરીદી કોલકાતાની ટીમે કરી છે, જ્યારે હાર્વિક દેસાઈ અને અંશ ગોસાઈની આજે મંગળવારે પ્રથમ દિવસે કોઈ ટીમે ખરીદી કરી હતી. આવતીકાલે બુધવારે પણ આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓની ખરીદી માટે બોલી બોલાશે ત્યારે ભાવનગરના આ બે ખેલાડીની પસંદગી થશે કે નહી ? તેની રાહ જોવી જ રહી.

'ઈજા છતા પસંદગી થઈ તેની ખુશી', IPLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં 3 - image

હાર્વિક દેસાઈ

ભાવનગરના ત્રણ ખેલાડી આઈપીએલ રમી ચુક્યા છે 

ભાવનગર શહેરના ત્રણ ખેલાડી આઈપીએલમાં રમી ચુકયા છે, જેમાં ચેતન સાકરીયા, શેલ્ડન જેક્સન અને ચીરાગ જાનીનો સમાવેશ થાય છે. ભાવનગરનો ક્રિકેટ ખેલાડી શેલ્ડન જેક્સન કોલકાતાની ટીમમાંથી અગાઉ બે વખત આઈપીએલ રમી ચુક્યો છે, પરંતુ ચાલુ વર્ષે આઈપીએલના ઓક્શનમાં શેલ્ડન નથી. ચિરાગ જાની આશરે ૬ વર્ષ પૂર્વે આઈપીએલ રમી ચુકયો છે. આ ત્રણેય ખેલાડીએ ભાવનગરનુ ગૌરવ વધાર્યુ છે.

'ઈજા છતા પસંદગી થઈ તેની ખુશી', IPLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં 4 - image

અંશ ગોસાઈ


Google NewsGoogle News