BCCIના વાઇસ પ્રેસીડેંટ રાજીવ શુક્લાની માતાનું નિધન

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
BCCIના વાઇસ પ્રેસીડેંટ રાજીવ શુક્લાની માતાનું નિધન 1 - image


Rajiv Shukla Mother Death: BCCIના વાઇસ પ્રેસીડેંટ રાજીવ શુક્લાની માતાનું નિધન થયું છે. રાજીવ શુક્લાની માતા શાંતિ દેવી શુક્લાએ (Shanti Devi Shukla) લગભગ 97 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. 

મળતી માહિતી પ્રમાણે, તે છેલ્લા કેટલાક સમયથી ગેગ્રીન નામની બીમારીથી પીડિત હતા. રાજીવ શુક્લા લાંબા સમયથી BCCI સાથે જોડાયેલા છે. હાલ તેઓ BCCIના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

હાલમાં જ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં BCCIના પ્રેસિંડેન્ટ રાજીવ શુક્લાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ તેમના ભૂતપૂર્વ સચિવનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. 


Google NewsGoogle News