ગુજ્જુ ખેલાડીએ જાડેજાનું ટેન્શન વધાર્યું, IPLમાં દમદાર પર્ફોમન્સ કરી T-20 વર્લ્ડ કપમાં માટે દાવો ઠોક્યો

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ગુજ્જુ ખેલાડીએ જાડેજાનું ટેન્શન વધાર્યું, IPLમાં દમદાર પર્ફોમન્સ કરી T-20 વર્લ્ડ કપમાં માટે દાવો ઠોક્યો 1 - image


T20 World Cup: ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 17મી સિઝન રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ બાદ તરત જ T20 વર્લ્ડ કપ શરુ થશે. જે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને અમેરિકા (America)માં રમાશે. આઈપીએલમાં જે ખેલાડીનું પ્રદર્શન સારું રહેશે તેનો T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ થઈ શકે છે. આ કારણે ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આઈપીએલમાં આ વખતે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)નું અત્યાર સુધીમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ માટે તેની પસંદગી થશે કે કેમ તેના પર પણ સવાલો ઉભા થયા છે.

જાડેજાનું ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતા

આઈપીએલની 17મી સિઝનમાં જાડેજાના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમાયેલી 8 મેચમાં 131.93ના સ્ટ્રાઈક રેટથી 157 રન બનાવ્યા છે. ટીમમાં જાડેજાની ભૂમિકા એક ઓલરાઉન્ડરની છે જે ફિનિશરની ભૂમિકા પણ ભજવી શકે છે, પરંતુ જાડેજા ફિનિશરની ભૂમિકા ભજવવા પણ સક્ષમ નથી. જાડેજાએ આ 8 મેચ માત્ર 4 વિકેટ ઝડપી છે. તેનું T20 વર્લ્ડ કપ પહેલા ખરાબ ફોર્મ ભારતીય ટીમ (Team India) માટે સારા સંકેત નથી.

આ ખેલાડી જાડેજાનું સ્થાન લઈ શકે

ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે સ્પિન ઓલરાઉન્ડરની જરૂર પડશે અને જો જાડેજાનું આવું જ ફોર્મ રહેશે તો અક્ષર પટેલ તેનું સ્થાન લઈ શકે છે. અક્ષર પટેલે આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે 9 મેચમાં 132.26ની સ્ટ્રાઈક રેટથી 123 રન બનાવ્યા છે. તેમજ 7 વિકેટ ઝડપી છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં અક્ષરે માત્ર 43 બોલમાં 66 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ ઝડપી હતી. અક્ષર પટેલ (Axar Patel) તેના દમદાર પ્રદર્શનના કારણે T20 વર્લ્ડ કપમાં જાડેજાનું સ્થાન પણ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની વચ્ચે જ ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમની જાહેરાત કરી શકે છે.

ગુજ્જુ ખેલાડીએ જાડેજાનું ટેન્શન વધાર્યું, IPLમાં દમદાર પર્ફોમન્સ કરી T-20 વર્લ્ડ કપમાં માટે દાવો ઠોક્યો 2 - image


Google NewsGoogle News