ગૌતમ ગંભીરે શોધી નાંખ્યો વધુ એક ઓલરાઉન્ડર, પરાગ અને રીન્કુ કરતાં પણ જોરદાર ક્ષમતા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Gautam Gambhir


India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સીરીઝ સમાપ્ત થઇ ગઇ છે.  ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાએ સિરીઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું છે. ગૌતમ ગંભીરે હેડ કોચ તરીકે પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. શ્રીલંકા સામેની ત્રીજી T20માં તેણે રેયાન પરાગ, રિંકુ સિંહ અને સૂર્યકુમાર જેવા દિગ્ગજ બેટ્સમેનોને બોલિંગ કરી હતી. ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે 3 મેચની વન-ડે સિરીઝ રમવાની છે. 

શ્રીલંકા સામેની વનડે સીરીઝ 2 ઓગસ્ટથી શરૂ થશે. હેડ કોચ ODI શ્રેણીમાં પણ આવું જ કરવા જઈ રહ્યા છે અને તે પહેલા તેમણે અન્ય એક ખતરનાક ઓલરાઉન્ડર શોધી નાંખ્યો છે.  આ મેચમાં ઘણા દિગ્ગજ બેટ્સમેન મેદાનમાં પરત ફરી રહ્યા છે, જેમાંથી એક શ્રેયસ અય્યર છે. અય્યર બેટિંગની સાથે સાથે કેટલીક ઓવર બોલિંગ પણ કરી શકે છે. અય્યરની બોલિંગ પ્રેક્ટિસની તસવીર પણ વાયરલ થઈ હતી. 

અય્યરની બોલિંગથી ટીમ ઈન્ડિયાને ફાયદો થશે

જો અય્યર બોલિંગ કરે છે તો ટીમ ઈન્ડિયાને ODI ક્રિકેટમાં તેનો ફાયદો થઈ શકે છે કારણ કે ભારત એવી ઘણી મેચ હારી ચૂક્યું છે જેમાં બોલિંગનો અભાવ હતો. તે જાણીતું છે કે એક સમયે યુવરાજ સિંહ, સુરેશ રૈના અને સચિન તેંડુલકર પોતે ટીમ ઈન્ડિયામાં બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપતા હતા.

ટીમ ઈન્ડિયાને આનો ફાયદો મળ્યો, જ્યારે બેટ્સમેન બોલિંગમાં યોગદાન આપે છે, તો કેપ્ટનને પ્લેઈંગ 11માં વધારાના બેટ્સમેનનો વિકલ્પ મળે છે, જે બેટિંગને ઊંડાણ આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કોચ ગૌતમ ગંભીર અય્યર પાસેથી બોલિંગમાં યોગદાન લેવું યોગ્ય છે.

શ્રેયસ અય્યરને બોલિંગમાં હજુ સુધી સફળતા મળી નથી

શ્રેયસ અય્યર આ પહેલા પણ બોલિંગ કરી ચૂક્યો છે પરંતુ તેને કોઈ સફળતા મળી નથી. તેનું વનડે બેટિંગ પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યાર સુધીમાં તેણે 59 મેચોમાં 49.64ની એવરેજ અને 100થી વધુના સ્ટ્રાઈક રેટથી 2383 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 18 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં તેણે ટીમ ઈન્ડિયા માટે માત્ર 37 બોલ નાંખ્યા છે અને તેને કોઈ સફળતા મળી નથી.


Google NewsGoogle News