Rahul Dravid KKR: હેડ કોચના પદથી વિદાય બાદ હવે આ કામ કરશે રાહુલ દ્રવિડ? IPLમાં થશે મોટી કમાણી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Rahul Dravid KKR: હેડ કોચના પદથી વિદાય બાદ હવે આ કામ કરશે રાહુલ દ્રવિડ? IPLમાં થશે મોટી કમાણી 1 - image


Image:X

Rahul Dravid KKR: રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ 2024 પછી તેમણે મજાકમાં કહ્યું હતું કે, હવે તે બેરોજગાર રહેશે.

રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે દ્રવિડનો સંપર્ક કર્યો છે. KKR દ્રવિડને મેન્ટરનું પદ આપવા માંગે છે. ગૌતમ ગંભીર વિશે ચર્ચા છે કે, તે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા જઈ રહ્યો છે. જેથી તેમની જગ્યા ખાલી થવાની છે.

મળતી માહિતી પ્રમાણે,  કોલકાતા નાઈટ રાઈડર્સે એ દ્રવિડનો સંપર્ક કર્યો છે. ટીમ દ્રવિડને મેન્ટર બનાવવા માંગે છે. વાસ્તવમાં, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાના સમાચાર છે. જો ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનશે તો KKRમાં તેની જગ્યા ખાલી થઈ જશે. તેથી, KKR તેની જગ્યાએ કોઈ અનુભવી ખેલાડીને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. તેથી KKR દ્રવિડને મેન્ટર બનાવી શકે છે. જોકે, દ્રવિડને કોચિંગનો ઘણો અનુભવ છે. જો તેઓ KKR સાથે જોડાય છે તો ખેલાડીઓને તેનો ઘણો ફાયદો મળી શકે છે.

દ્રવિડ ગંભીરનું સ્થાન લઈ શકે છે

ગંભીરની વાપસી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન ઘણું સારું થયુ હતું. ટીમે IPL 2024નો ખિતાબ જીત્યો હતો. કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. 14 લીગ મેચમાંથી 9  જીતી હતી અને 3 મેચ હારી હતી. હવે ગંભીરની KKRમાંથી વિદાય થવાની છે. સંભવિત છે કે, ગંભીરને દ્રવિડનું નેશનલ કોચ પદ મળી શકે છે. તો સામે વધુ સમય ફેમિલીની નજીક રહેવા અને ઓછુ કામ કરવા ઇચ્છતા દ્વવિડને KKRનું કોચ પદ મળી શકે છે. 


Google NewsGoogle News