ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી 1 - image


Image: X

Sri Lanka vs India ODI Series: ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. 

આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લાચાર જોવા મળ્યા. રોહિત શર્મા સિવાય આ સિરીઝમાં કોઈ પણ બેટ્સમેન વધુ ખાસ કમાલ કરી શક્યો નહોતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.

સ્પિન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી

વનડે સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સ્પિન બોલરો વિરુદ્ધ 27 વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાએ વનડે દ્વિપક્ષીય સિરીઝમાં કોઈ પણ ટીમના સ્પિનરો વિરુદ્ધ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી છે.

ત્રીજી મેચમાં 110 રનથી મળી હતી હાર

સિરીઝની ત્રીજી મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમવામાં આવી. આ મેચમાં પહેલી બેટિંગ કરતાં શ્રીલંકાએ 50 ઓવરમાં 248 રન બનાવ્યા હતાં અને ટીમ ઈન્ડિયાની સામે જીત માટે 249 રનનું લક્ષ્ય રાખ્યું હતું. 249 રનના લક્ષ્યનો પીછો કરતાં સમગ્ર ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ હારી ગઈ હતી. એકવાર ફરીથી ભારતીય બેટ્સમેનોએ ખૂબ નિરાશ કર્યાં હતાં. રોહિત શર્માએ ટીમ માટે સૌથી રન બનાવ્યા હતાં. રોહિતે 35 રન બનાવ્યા હતાં.


Google NewsGoogle News