કેટલા ટેમ્પરેચર પર AC ચલાવવાથી પૈસાની કરી શકાય છે બચત? મોટા ભાગના લોકોને નથી આ જાણકારી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
કેટલા ટેમ્પરેચર પર AC ચલાવવાથી પૈસાની કરી શકાય છે બચત? મોટા ભાગના લોકોને નથી આ જાણકારી 1 - image


Image Source: Freepik

AC Temperature: કોઈપણ એર કંડિશનરના ટેમ્પરેચર અંગે અનેક પ્રકારની વાતો પ્રચલિત છે. લોકોનું કહેવું છે કે, એર કન્ડીશનરને મેક્સિમમ ડાઉન ટેમ્પરેચર પર ન રાખવું જોઈએ, તેના કારણે વીજળીનું બિલ જરૂર કરતા વધારે આવે છે. જો કે, જો આવું હોય તો એવું કયું ટેમ્પરેચર છે જેના પર એર કંડિશનર ચલાવવાથી વીજળીનું બિલ પણ ઓછું આવે અને કૂલિંગ પણ જોરદાર મળે? જો તમે પણ દર મહિને વધતા વીજળીના બિલથી પરેશાન છો તો આજે અમે તમને તે ટેમ્પરેચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના પર તમે વીજળીનું બિલ ઓછું રાખીને સારા કૂલિંગનો આનંદ માણી શકો છો.

વીજળીની બચત: ઓછા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ વધી જાય છે. 24°C-26°C પર AC કુશળતાથી કામ કરે છે અને વીજળી ઓછી વપરાય છે. 

સ્વાસ્થ્ય માટે સારુ: ખૂબ જ ઠંડુ તાપમાન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે 24°C-26°C શરીર માટે આરામદાયક હોય છે અને સારી ઉંઘ આવવામાં મદદ કરે છે. 

ત્વચા અને વાળ માટે સારું: ઠંડી હવા ત્વચા અને વાળને શુષ્ક બનાવી શકે છે. 24°C-26°C ટેમ્પરેચર ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે.

વધારાની ટિપ્સ:

પંખાનો ઉપયોગ કરો: AC સાથે પંખાનો ઉપયોગ કરવાથી હવાના પ્રવાહમાં સુધારો થાય છે અને ઓછા તાપમાને પણ રૂમ ઠંડુ થાય છે.

પડદા બંધ રાખોઃ ઠંડી હવા બહાર ન જાય તે માટે AC ચાલુ હોય તે સમયે પડદા બંધ રાખો. 

નિયમિત સફાઈ: AC ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો જેથી તે કુશળતાપૂર્વક કામ કરી શકે.

જૂનું AC બદલો: જો તમારું AC 10 વર્ષથી વધુ જૂનું છે તો તેને નવા, વધુ ઊર્જા-કાર્યક્ષમ મોડલ સાથે બદલવાનું વિચારો.

સ્માર્ટ થર્મોસ્ટેટનો ઉપયોગ કરો: સ્માર્ટ થર્મોસ્ટેટ તમને ટેમ્પરેચર નિયંત્રિત કરવામાં અને ઊર્જા બચાવવામાં મદદ કરી શકે છે.

સૂર્યપ્રકાશને રોકો: બારીઓ પર પડદા અથવા બ્લાઇંડ્સ મૂકીને સૂર્યપ્રકાશને રૂમમાં પ્રવેશતા અટકાવો.

ગરમ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરો: ઓવન, સ્ટોવ અને વોશિંગ મશીન જેવા ઉપકરણો રૂમમાં ગરમી વધારી શકે છે.

24°C-26°C પર AC ચલાવીને તમે પૈસા બચાવી શકો છો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો અને પોતાની ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખી શકો છો. 

આ તાપમાન એક સામાન્ય સલાહ છે. તમે તમારી જરૂરિયાત અને સહનશક્તિ પ્રમાણે તેમાં થોડો ઘટાડો અથવા વધારો કરી શકો છો. બીમાર લોકો અને નાના બાળકો વાળા ઘરોમાં થોડુ ઓછું ટેમ્પરેચર રાખવું આવશ્યક બની જાય છે. 



Google NewsGoogle News