ISRO ન્યુક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ બનાવશે, ગણતરીના દિવસોમાં મંગળ ગ્રહ પહોંચી શકાશે

અંતરિક્ષમાં ઈંધણની મુશ્કેલીનો અંત લાવવાની ઈસરોની યોજના

ન્યૂક્લિયર રોકેટનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશનમાં એસ્ટ્રોનોટ્સને પાછા આવવામાં તકલીફ નહીં પડે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
ISRO ન્યુક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ બનાવશે, ગણતરીના દિવસોમાં મંગળ ગ્રહ પહોંચી શકાશે 1 - image

ISRO હવે પરમાણુ ઈંધણ (Nucelar Powered Rocket) થી સંચાલિત થતાં રોકેટ પર કામ કરી રહ્યું છે. આ રોકેટની શરૂઆતની ડિજાઈન પણ તૈયાર થઇ ચૂકી છે. જો આગામી અમુક વર્ષોમાં આ ન્યૂક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ તૈયાર થઇ જશે તો ભારત લાંબા અંતરે આવેલા કોઈપણ ગ્રહ સુધી ઓછામાં ઓછા સમયમાં પોતાનું સ્પેસક્રાફ્ટ પહોંચાડી શકશે. 

શું ફાયદો થશે? 

ન્યૂક્લિયર રોકેટનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશનમાં એસ્ટ્રોનોટ્સને પાછા આવવામાં તકલીફ નહીં પડે અને સાથે જ ઈંધણની પણ ચિંતા નહીં હોય. પરમાણુ ઈંધણથી ચાલતું રોકેટ સૌર મંડળ બહારના તમામ મિશન માટે શ્રેષ્ઠ સાબિત થશે કેમ કે આવા ડીપ સ્પેસ મિશન માટે આ પ્રકારની સુવિધાની તાંતી જરુર છે. 

હાલમાં કેવું એન્જિન વપરાય છે?  

એવી પણ માહિતી છે કે ઈસરો અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે મળીને રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટર્સ (RTG) ડેવલપ કરી રહ્યા છે. હાલમાં રોકેટ અને સેટેલાઈટ્સમાં કેમિકલ એન્જિનનો ઉપયોગ થાય છે. પરંતુ જો કોઈ ગ્રહ પર જઇને પાછા ફરવું હોય તો આ કેમિકલ એન્જિન નબળાં સાબિત થશે. તેમાં વધુ ઈંધણ વપરાશે. 

કેવું હશે ન્યૂક્લિયર એન્જિન ધરાવતું રોકેટ? 

ન્યૂક્લિયર એન્જિન ધરાવતું રોકેટ સામાન્ય ન્યૂક્લિયર એન્જિન કરતાં અલગ હશે. તે વીજળી પેદા કરનારા ન્યૂક્લિયર એન્જિન જેવું નહીં હોય. તેમાં ન્યૂક્લિયર ફિશન નહીં હોય પણ RTGમાં રેડિયોએક્ટિવ પદાર્થો વપરાશે, જેમ કે પ્લૂટોનિયમ-238 કે પછી સ્ટ્રોંટિયમ-90. આ પદાર્થ જ્યારે ડિકે થાય છે તો ઘણી ઊર્જા પેદા કરે છે. 

ISRO ન્યુક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ બનાવશે, ગણતરીના દિવસોમાં મંગળ ગ્રહ પહોંચી શકાશે 2 - image


Google NewsGoogle News