બે રાહદારી ખેતરની આગની લપેટે દાઝી ગયા, એકનું મોત

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
બે રાહદારી ખેતરની આગની લપેટે દાઝી ગયા, એકનું મોત 1 - image


કુતિયાણા-માંડવા રોડ પર વિચિત્ર બનાવ

બંને બાઈકસવાર પડતર ખેતરની આગની ચપેટમાં આવી ગયાનું જાહેર, પોલીસે આદરી તપાસ

પોરબંદર: પોરબંદરના કુતિયાણાથી માંડવા જતા રસ્તે આગના વિચિત્ર પ્રકારના બનાવમાં આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલ યુવાન પણ સામાન્ય દાઝી ગયો હતો.

માણાવદરના માંડોદ્રા ગામના વિનોદ રાજાભાઈ દાદુકીયા દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એવી માહિતી જાહેર કરવામાં આવી છે કે, તેના પિતા રાજાભાઈ દેવાભાઈ દાદુકીયા (ઉ.વ.૫૭) અને જીગા ડાયા કુવરીયા બન્ને બાઈકમાં કુતિયાણાથી માંડવા જતા હતા ત્યારે દેવાયતભાઈ ભેટારીયાના ઘઉના પડતર ખેતરમાં અકસ્માતે આગ લાગી હતી. બન્ને જણા બાઈક સાથે આગની લપેટમાં આવી ગયા હતા, જેમાં જીગા ડાયા સામાન્ય દાઝી જતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે રાજાભાઈ દાદુકીયા ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.


Google NewsGoogle News