જામનગર તથા મોરબીમાં બે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
જામનગર તથા મોરબીમાં બે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું 1 - image


ઘરે ગળાફાંસો ખાધો

બન્ને બનાવમાં કારણ અંગે પોલીસ તપાસ ચાલુ

જામનગર: જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગઈકાલે પોતાના ઘરે રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બીજા બનાવમાં મોરબી શહેરના નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાછળ રહેતી રર વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક ખાનગી સ્કૂલની પાછળના ભાગમાં રહેતી અંકિતાબેન પ્રશાંતભાઈ સંચાણીયા નામની ર૪ વર્ષની પરણીતાએ  પોતાની ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.પી. અંસારી બનાવના સ્થળે પહોંચી ગયા હતા. અંકિતાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેણીએ કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના પતિ સહિતના અન્ય  પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

મોરબી નવલખી રોડ પર રહેતા સુનીતાબેન કલ્પેશભાઈ કુન્ધીયા (ઉ.વ.રર) નામની પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે ટીમ દોડી ગઈ મૃતક પરિણીતાનો લગ્નગાળો ર વર્ષનો હોય અને એક સંતાન હોવાનું જાણવા મળ્યું છે. જોકે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી. બી ડીવીઝન પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.


Google NewsGoogle News