ગઢડામાં શિક્ષકના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
ગઢડામાં શિક્ષકના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા 1 - image


પત્નીની સારવાર માટે ભાવનગર આવ્યા હતા

મુખ્ય દરવાજા અને ચાર રૂમના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના લઈ રફુચક્કર થયા

ભાવનગર: ગઢડામાં રહેતા શિક્ષક પત્નીની સારવાર માટે ભાવનગર આવ્યા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના ઉપર હાથફેરો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા (સ્વામીના) શહેરમાં સામાકાંઠા, ઢસા રોડ, મોહનનગરમાં રહેતા શિક્ષક નટવરગિરિ ગુલાબગિરિ ગોસાઈ (ઉ.વ.૫૭)ના પત્નીની તબિયત નાદુસ્ત હોવાથી તેમને લઈ ગત તા.૧૮-૧૧ના રોજ ભાવનગર દવાખાને આવ્યા હતા. અહીં અમુક રિપોર્ટ બાકી હોવાથી દંપતી તેમના દિકરાના ઘરે રોકાયા હોય, દરમિયાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ નટવરગિરિના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી ચાર રૂમના દરવાજાના તાળા તોડી તિજોરી અને અલગ-અલગ જગ્યામાં રાખેલ ચાંદીના બે જોડી છડા, ચાંદીના પાંચ સિક્કા, સોનાની બે વિટીં, પગના ચાંદીના કવાડ નંગ-ર, નાકની એક ચુક, બે ચાંદીની પોચી સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. એક માસ પૂર્વે બનેલી ઘટના અંગે શિક્ષકે ફરિયાદ નોંધાવતા ગઢડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News