આજે દિવાળી પર્વ : રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
આજે દિવાળી પર્વ : રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે 1 - image


- ભાવનગર જિલ્લામાં દિવાળી પર્વના પગલે 19 નવેમ્બર સુધી જાહેરનામુ અમલમાં રહેશે

- ખરાબ પર્યાવરણ અને ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી લોકોને બચાવવા માટે જાહેરનામુ બહાર પડાયુ 

ભાવનગર : નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદશકાઓ આપવામાં આવેલી છે તેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યા છે. ભાવનગર જિલ્લામાં રાત્રીના બે કલાક જ ફટાકડા ફોડી શકાશે અને નિયમનુ પાલન નહી કરનાર સામે પગલા લેવામાં આવશે. 

દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઇએ ભાવનગર જિલ્લાની હદ વિસ્તારમાં જાહેરનામું બહાર પાડેલ છે. ભાવનગર જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રીના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી-વાપરી શકાશે. પીઇએસઓ દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોકસ ઉપર પીઇએસઓની સૂચના પ્રમાણેનું માકગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધામક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. 

કોઇપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી. તેમજ ઇ-કોમેર્સ વેબસાઇટસ પર ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર જિલ્લાનાં બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસનાં સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ, આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામું આગામી તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. 


Google NewsGoogle News