ખંભાળિયાના કમિશન એજન્ટના આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ખંભાળિયાના કમિશન એજન્ટના આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા 1 - image


- વેપારીઓને ખેતપેદાશ મોકલ્યા બાદ રકમ ન મળતા ઝેરી ટીકડા ખાધા હતા

ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા આધેડે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં મૃતકના પુત્રી દ્વારા માંગરોળ, જુનાગઢ વિગેરે ગામે રહેતા કુલ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે પૈકી ૩ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

અન્ય ચાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા કાર્યવાહી

ખંભાળિયા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેતપેદાશો લઈ અને કમિશનથી વેચી આપતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના ૫૦ વર્ષના આધેડ દ્વારા કેટલાક વેપારીઓને અહીંથી ખેતપેદાશ મોકલી દીધા બાદ તેમને આ રકમ ન મળતા આથક સંકડામણમાં આવી જતા તેમણે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.

આ અંગે મૃતક ભાયાભાઈની પુત્રીએ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા તેમજ સંજય બારડ અને મુકેશ તથા રોહિત સામે આશરે રૂપિયા બે કરોડથી વધુ રકમ મેળવી લીધા બાદ આ રકમ મૃતક ભાયાભાઈને આપવામાં ગલ્લા-તલ્લા કરવા ઉપરાંત તેમને મારી નાખવાની ધમકી આપી હોવાથી કંટાળીને આથક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈએ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આત્મહત્યા કરવા પૂર્વે તેમણે વિડીયો બનાવીને વાઇરલ પણ કરતા આ અંગે પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી, આ પ્રકરણમાં ડીવાયએસપી હાદક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા વિવિધ દેશોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ અંગેની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી રમેશ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણિયાની વિધિવત રીતે અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓને આજરોજ સાંજે અહીં અદાલતમાં રજૂ કરી, રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત આ પ્રકરણમાં આજરોજ આહીર સેના ગુજરાત વતી આહિર સમાજ દ્વારા આરોપીઓને કડક સજાની માંગ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.



Google NewsGoogle News