Get The App

યાત્રાધામ સોમનાથ જવા વેરાવળ સુધી જ ટ્રેન મળશે

Updated: Aug 22nd, 2022

GS TEAM


Google News
Google News
યાત્રાધામ સોમનાથ જવા વેરાવળ સુધી જ ટ્રેન મળશે 1 - image


- સોમનાથ સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટનું કામ ગતિમાં

- 1 લી ઓગસ્ટથી સોમનાથથી ઉપડતી અને જતી તમામ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ

ભાવનગર : સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ દર્શને જતા યાત્રિકો માટે આગામી માસના પ્રારંભથી ટ્રેન વ્યવહાર પર બ્રેક લાગી જશે. સોમનાથ સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ અને પુનઃવિકાસનું કામ સમયસર પૂરૂ કરવા માટે રેલવેએ સોમનાથ સ્ટેશનથી ઉપડતી અને જતી તમામ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી છે. જેના કારણે સોમનાથની તમામ ટ્રેનો વેરાવળ સ્ટેશન સુધી જ જશે.

ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ સ્ટેશનમાં રિ-ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. રેલવે સ્ટેશનને સોમનાથ મહાદેવ મંદિર જેવો જ આબેહૂબ લૂક આપવા માટે પુનઃ વિકાસની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે રેલવે વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૧-૯ને ગુરૂવારથી સોમનાથ સ્ટેશન સુધીની તમામ ટ્રેનોને વેરાવળ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથથી ઉપડતી ટ્રેનો હવે ૧લી સપ્ટેમ્બરથી વેરાવળ સ્ટેશન સુધી જ દોડશે. વધુમાં ૩૧મી સુધી ટ્રેનોની સોમનાથ સ્ટેશન સુધી પરિચાલનની કામગીરી હજુ શરૂ રહેશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ભાવનગર-વેરાવળ વચ્ચે ઘણાં વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. સોમનાથ જવા માટે યાત્રિકો ઓખા ટ્રેનમાં રાજકોટ તેમજ બાંદ્રા ટ્રેનમાં સુરેન્દ્રનગર થઈ વાયા સોમનાથ પહોંચે છે.

Tags :