નાઘેડી ગામ પાસેના વોંકળામાંથી કોન્ટ્રાક્ટર યુવાનનો મળ્યો મૃતદેહ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
નાઘેડી ગામ પાસેના વોંકળામાંથી કોન્ટ્રાક્ટર યુવાનનો મળ્યો મૃતદેહ 1 - image


બનાવના સ્થળેથી થોડે દૂર યુવાનના મોબાઇ, પર્સ મળ્યા

જામનગર, મોરબી :  જામનગર નજીકના નાઘેડી ગામ પાસેનાં વોકળામાંથી એક કોન્ટ્રાક્ટર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

 જામનગરની ભાગોળે ખંભાળીયા માર્ગે આવેલા નાઘેડી ગામ પાસેનાં વોકળા માંથી વનરાજ વલ્લભભાઈ કરમુર (ઉ.વ.૩૮) નામના કોન્ટ્રાક્ટર યુવાનનો   મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે કોઈએ પોલીસે ને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ એ. એમ. જાડેજા બનાવ સ્થળે પહોંચ્યા હતા. અને પ્રાથમિક તપાસ શરૃ કરી હતી. હાલ તો અકસ્માતે પડી જતાં પાણીમાં  ડૂબી  જવા થી મૃત્યુ થવા અંગેની કલમ મૂજબ પોલીસે નોંધ કરી છે. અને બનાવનું સાચું કારણ જાણવા તજવીજ શરૃ કરી છે. બનાવના સ્થળથી થોડે દૂર યુવાનના મોબાઈલ ફોન, બાઇક, પર્સ વગેરે પણ મળી આવ્યા હતા. જે કબ્જે કરી લેવામાં આવ્યા છે.


Google NewsGoogle News