ઓખા-પૂરી-ઓખા સાપ્તાહિક ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે
Updated: Apr 21st, 2024
સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામને લીધે
ટ્રેન વિજયવાડા, વિશાખાપટનમ સહિતના સ્ટેશનોને બદલે વાયા નાગપુર, રાયપુર, વિજયનગરમના માર્ગે દોડશે
તા.૧,
૮ અને ૧૫ મે ના રોજ ઓખા થી ચાલતી
ટ્રેન નં ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા - બલ્હારશાહ
- વિજયવાડા - વિશાખાપટ્ટનમ - ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા
વર્ધા - નાગપુર - રાયપુર - ટિટિલાગઢ - રાયગઢ - વિજયનગરમ - ખુર્દા રોડ ના માર્ગ પર
દોડશે. આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ -
સિરપુર કાગઝનગર - મંચિર્યાલ - રામગુંડમ - વારંગલ - વિજયવાડા - એલુરુ - રાજામુડ્રી
- સામલકોટ - અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.
તા.૨૮ એપ્રીલ ,
૫ અને ૧૯ મે ના રોજ પુરી થી ચાલતી
ટ્રેન નં ૨૦૮૧૯ પુરી - ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ -
વિશાખાપટ્ટનમ - વિજયવાડા - બલ્હારશાહ - વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ
વાયા ખુર્દા રોડ - વિજયનગરમ - રાયગઢ - ટિટિલાગઢ - રાયપુર - નાગપુર - વર્ધા ના
માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ - અનકાપલ્લી - સામલકોટ - રાજમંડ્રી - એલુરુ
- વિજયવાડા - વારંગલ - રામગુંડમ - મંચિર્યાલ - સિરપુરકાગઝનગર - બલ્હારશાહ -
ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.