સલાયામાં તરૂણનો અને ખંભાળીયામાં ગળેફાંસો ખાઈ યૂવાનનો આપઘાત

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
સલાયામાં તરૂણનો અને ખંભાળીયામાં ગળેફાંસો ખાઈ યૂવાનનો આપઘાત 1 - image


ખંભાળીયા પંથકમાં આપઘાતનાં બે બનાવ

તરૂણે ઘરે પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લેતા પરિવાર શોકમગ્ન

ખંભાળીયા: ખંભાળીયા પંથકમાં આપઘાતનાં બે બનાવો બન્યા છે. સલાયામાં તરૂણે અકળ કારણોસર ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો જયારે ખંભાળીયામાં યૂવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકવી છે.

 ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા કરીમભાઈ હારૂનભાઈ ભાયા નામના ૫૦ વર્ષના આધેડના બાર વર્ષના પુત્ર યાસીનએ ગઈકાલે બુધવારે કોઈ અકળ કારણોસર તેના ઘરે રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતક યાસીનના પિતા કરીમભાઈ ભાયાએ સલાયા મરીન પોલીસને કરી છે. આશાસ્પદ બાળકના અકાળે અવસાનથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

જયારે ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા વણકર વાસ ખાતે રહેતા ધવલ જેઠાભાઈ ડોરૂ નામના ૨૧ વર્ષના યુવાને સોમવારે મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ જીતુભાઈ જેઠાભાઈ ડોરૂએ અહીંની પોલીસને કરી છે.



Google NewsGoogle News