કિચનવેરના ધંધાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
કિચનવેરના ધંધાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત 1 - image


સહકાર રોડ પર ઇન્દીરાનગરનો બનાવ

રેલનગરમાં ભાઇના ઘરે ઝેરી દવા પી યુવાનનો આપઘાતઃ બન્ને યુવાનોએ આર્થિક ભીંસના કારણે પગલું ભર્યાનું અનુમાન

રાજકોટ: સહકાર મેઇન રોડ પર ઇન્દીરાનગરમાં રહેતાં કિચનવેરના ધંધાર્થી મયુર દિપકભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૪)એ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઇન્દીરાનગર-૩માં રહેતા મયુરે આજે સવારે ઘરે ઉપરના માળે છતના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. જેના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બે ભાઇમાં નાનો અને અપરણીત હતો. સંભવતઃ આર્થિક ભીંસના  કારણે પગલું ભર્યાનું હાલ ભકિતનગર પોલીસનું અનુમાન છે. તપાસ જારી રાખી છે.

મોરબી રોડ પર ૪૦ ફૂટ મેઇન રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતાં રોહિત જીતુભાઇ નિમાવત (ઉ.વ. ૨૪)એ ગઇકાલે રેલનગરના છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં તેના ભાઇના ઘરે હતો ત્યારે ઝેરી પાવડર પી લેતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. છૂટક મજુરી કરતા મૃતકે આર્થિક ભીંસના કારણે પગલું ભર્યાની શકયતા છે. પ્ર.નગર પોલીસે વધુ તપાસ જારી રાખી છે.


Google NewsGoogle News