કલાધામમાં કલાત્મક ફલોટસ સાથે કલાયાત્રા
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ કલા ઉત્સવ
- 2 વર્ષનાં અંતરાય બાદ યુનિવર્સિટી અમૃત રંગ યુવા ઉર્જા મહોત્સવનો રંગારંગ પ્રારંભ : આજે ઉદ્ઘાટન સાથે નવ કૃતીઓની સ્પર્ધા યોજાશે
કલાકારોને સ્ટેજ પુરૂ પાડવાના ઉમદા ધ્યેય સાથે વિવિધ ૪૪ કોલેજોની ટીમો વચ્ચે સાહિત્યિક, સાંસ્કૃતિક, અને કલા ક્ષેત્રે કુલ ૩૪ સ્પર્ધા યોજાશે. જ્યારે યુવક મહોત્સવનાં આકર્ષણ સમી કલાયાત્રા ઉદ્ધાટન સમારોહની પૂર્વ સંધ્યાએ કાળીયાબીડ પાણીની ટાંકીથી નિકળી એમ્ફિ થીયેટર જશે જેમાં ૩૦૦થી વધુ સ્પર્ધકો આ કલાયાત્રામાં જોડાયા હતા.
આજથી પ્રારંભ થયેલ યુવક મહોત્સવ તા. ૨૧ના રોજ સમાપન સમારંભ અને વિજેતાઓની જાહેરાત સાથે પૂર્ણ થશે. જ્યારે આવતીકાલે સવારે ૧૦ કલાકે ઉદ્ધાટન સમારોહ યુનિવર્સિટીના એમ્ફ થીયેટર ખાતે યોજાનાર છે. આ અમૃત રંગ યુવા ઉર્જા મહોત્સવને શિક્ષણ મંત્રી ખુલ્લો મુકશે જ્યારે યુવાઓને પ્રેરણા આપવા અને શુન્યથી સર્જન કરવાની કેડી કંડારવા કલા જગતનાં અભિષેક જૈન અતિથી રહેશે જયવીરરાજસિંહજી (યુવરાજ) તથા મેયર, સાંસદ, ધારાસભ્ય, સહિતના મહેમાનો યુથને પ્રોત્સાહિત કરશે અને ત્યારબાદ વિવિધ પાંચ કલા મંચ ઉપર નિયત સમય પત્રક મુજબ સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવશે.