હળવદમાં નિદ્રાધીન પત્નીને મોતને ઘાટ ઉતારી દઈ પતિની આત્મહત્યા

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
હળવદમાં નિદ્રાધીન પત્નીને મોતને ઘાટ ઉતારી દઈ પતિની આત્મહત્યા 1 - image


સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરેલા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

પત્નીની હત્યા કરીને શેરીમાં છરી ફેંકી દીધા બાદ પતિએ કાતીલ ઝેર ગટગટાવી જિંદગીનો અંત આણી લીધો, બે પુત્ર અને એક પુત્રી નોધારા

હળવદ: હળવદમાં સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ રાતના સમયે પત્ની ખાટલામાં સૂતી હતી એ વેળા પતિએ છરીના ઉપરાઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પતિએ શેરમાં છરીને ફેંકી દઈ કાતીલ ઝેર પી આત્મહત્યા કરી લેતાં પરિવારનો માળો વિંખાઈ ગયો હતો. આ ઘટનામાં બે પુત્ર અને એક પુત્રીએ માતા-પિતાની છત્રછાંયા ગૂમાવી દીધી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીસીપરા વિસ્તારમાં રહેતા મંદીના યુનુશ સંધિને  તેનો પતિ યુનુશ  અબ્રાહમભાઈ સંધિ બન્ને વચ્ચે રાત્રિના બોલાચાલી થઈ હતી. આ  ઘટના બાદ સોમવાર  સાંજે  મદીના  તેની બહેનના ઘરે ખબર કાઢવા  હળવદનાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવ્યા હતા, અને રાત ત્યાં જ રોકાણા હતા. મંગળવાર વહેલી સવારે ૬ વાગ્યાની આજુબાજુએ મદીના ખાટલામાં સુતી હતી એ વખતે ભરઉંઘમાં તેના પતિ યુનુશ સંધિએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલું જ નહિ પત્નીની હત્યા નીપજાવ્યા બાદ પતિએ છરી  શેરીમાં નાખી દઈ  તેણે પણ  ઝેરી દવા પી આત્મહત્યા કરી  લીધી હતી. પત્નીની હત્યાના સ્થળથી થોડે દૂર હનુમાનજી મંદિર પાસે જ  પતિ યુનુસનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પત્ની અને પતિ બન્નેના મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ેેખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા તેમના  સગા વ્હાલા હળવદ સરકારી હોસ્પિટલે આવી  પહોંચ્યા  હતા  અને હૈયાફાટ રુદન  કલ્પાંત સર્જાયું હતું, આ કેસની વધુ તપાસ હળવદ પી. આઈ. આર. ટી .વ્યાસ ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News