એસ.ટી.ના કર્મીઓને 7 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા મંજૂરી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
એસ.ટી.ના કર્મીઓને 7 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા મંજૂરી 1 - image


- 19 માસનું એરિયર્સ 3 હપ્તામાં ચુકવવામાં આવશે

- બદલી કામદાર, રોજમદાર કર્મચારીના રોજીંદા વેતનદરમાં પણ સુધારો કરાયો

ભાવનગર : એસ.ટી. નિગમના કર્મચારીઓને નવરાત્રિ-દિવાળી પહેલા સાત ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષ ફેલાઈ ગયો છે. આ ઉપરાંત ૧૯ માસનું મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ત્રણ હપ્તામાં ચુકવવા મંજૂરી આપી દેવામાં આવી છે.

એસ.ટી.ના કર્મચારીઓને તા.૧-૭-૨૦૨૧થી મુળ પગારના ૩૧ ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હતું. જેથી રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની માફક તેમને પણ ૩૮ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા એસ.ટી. નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ફળી હોય તેમ તાજેતરમાં કર્મચારીઓને દિવાળી પહેલા જ દિવાળીની ભેટ આપવામાં આવી હોય તેમ નિગમના કર્મચારી/અધિકારીઓને તા.૧-૧-૨૦૨૨થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના ૩૪ ટકા એ તા.૧-૭-૨૦૨૨થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના ૩૮ ટકાના સુધારેલ દરો ચુકવવા મંજૂરી અપાઈ છે. સુધારેલા મોંઘવારી ભથ્થાના સાત ટકા (એટલે કે ૩૮ ટકા)ની અસર સપ્ટેમ્બર-૨૦૨૩ પેઈડ ઈન ઓક્ટોબર-૨૦૨૩ના પગારમાં આપવા અને તફાવતના એરિયર્સની રકમ ચુકવવા માટે અલગથી સુચના આપવા આદેશ થયો છે. આ ઉપરાંત તા.૧-૭-૨૦૨૧થી તા.૩૧-૦૧-૨૦૨૩ (૧૯ મહિના)ના ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના એરિયર્સનું રકમ ત્રણ હપ્તામાં ચુકવાશે. જેનો પ્રથમ હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ પેઈડ ઈન નવેમ્બર-૨૦૨૩, બીજો હપ્તો ડિસેમ્બર-૨૦૨૩ પેઈડ ઈન જાન્યુઆરી-૨૦૨૪ અને ત્રીજો હપ્તો ફેબુ્રઆરી-૨૦૨૪ પેઈડ ઈન માર્ચ-૨૦૨૪માં પગાર સાથે ચુકવાશે. વધુમાં એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા બદલી કામદાર, રોજમદાર કર્મચારીઓના રોજીંદા વેતનદરોમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે તેમના રોજીંદા વેતનદરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News