શેલારશા ચોકમાં સરાજાહેર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
શેલારશા ચોકમાં સરાજાહેર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ 1 - image


- અસામાજિક તત્વો બન્યા બેખૌફ

- યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે લવાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ તપાસ આદરી

ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ખંડણી,અપહરણ,મારામારી સહિતની ધટનાઓ જાણેકે આમ બની ગઈ હોય તેમ આવારા તત્વો પોલીસનું અસ્તિત્વ નહોય તેમ બેખૌફ ગુના આચરી રહ્યા છે.તેવામાં વઘુ એક હત્યાની બનાવ ભાવનગર શહેરના શેલારશા વિસ્તારમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ સમગ્ર બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર,છેલ્લા ૨૪ કલાકમાં ખંડણી,અપહરણ,મારમારી જેવા બનાવો બન્યા છે.અસામાજિક તત્વો બેખૌફ પોલીસના ડર વગર ગુના આચરવામાં પાછી પાની કરતા નથી ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર અસ્તિત્વ નહોય તેમ બેફામ ગુના આચરી રહ્યા છે. જ્યારે પોલીસ તંત્રએ પણ બેખૌફ બનેલા ગુનેગારોને ડામવા માટે કડક કાર્યવાહી કરવાની અત્યધિક આવશ્યકતા જણાઈ રહી છે.જ્યારે ભાવનગર શહેરના ભરચક વિસ્તારમાં યુવાનની સરાજાહેર હત્યા કરી હત્યારાઓ બજારમાંથી નાસી છૂટયા હતા. ભાવનગરના શેલારશા ચોક પાસે આવેલ અમીપરાના નાકા પાસેનાં ચામુંડા બુક સ્ટોલ સામે રોડ પર  ભાવનગર શહેરના  બાર્ટન લાઇબ્રેરી ઇન્ડિયા ટ્રાવેલ્સ ઉપર રહેતા ઇલ્યાસભાઈ હારુનભાઈ બેલીમ (ઉ.વ ૩૯) પર તીક્ષ્ણ હથિયારો વડે આડેઘડ ઘા ઝીંકી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.  ઇલ્યાસભાઈને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાની સાથેજ નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગઈ હતો અને મૃતકને પીએમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News