પાળીયાદ રોડ પર મોટરસાયકલ આડે રોઝડું આવી જતા યુવાનનું મોત

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
પાળીયાદ રોડ પર મોટરસાયકલ આડે રોઝડું આવી જતા યુવાનનું મોત 1 - image


- કાકાએ ભત્રીજા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

- પાળીયાદનો યુવાન મોટરસાયકલ લઈને દેવળીયા તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : દેવળીયા પાળીયાદ રોડ વચાળ મોટરસાયકલ પર જઈ રહેલા યુવાનને રોજડું આડું આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલા યુવાનનું મોત થયું હતું.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર પાળીયાદ ખાતે રહેતા શાંતિભાઈ નારુભાઈ ખોખાણી એ વેળાવદર ભાલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,શાંતિભાઈનો ભત્રીજો સચિન ઘનશ્યામભાઈ ખોખાણી ( ઉ.વ ૧૯ )પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ એજી ૯૧૭૫ લઈને દેવળીયા પાળીયાદ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક રોજડુ મોટરસાયકલ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતાની સાથે જ યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


Google NewsGoogle News