ભાવનગર-અમદાવાદ રોડ પર કારે બાઈકને અડફેટે લેતાં યુવાનનું મોત

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ભાવનગર-અમદાવાદ રોડ પર કારે બાઈકને અડફેટે લેતાં યુવાનનું મોત 1 - image


- મૃતકના કાકાએ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- યુવાન જસવંતપુરાથી બાઈક લઈને ભાવનગર આવવા નીકળ્યો હતો 

ભાવનગર : જસવંતપુરા ખાતે રહેતા અને એલ એન્ડ ટી ધોલેરા ખાતે નોકરી કરતા યુવાના પોતાનું મોટરસાયકલ લઈને જશવંતપુરાથી ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર ત્રણ નંબરના નાળા પાસે પહોંચતા કોઈ અજાણ્યા કારના ચાલકે યુવાનના મોટરસાયકલને અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત હાલતે યુવાને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગરના જસવંતપૂરા ખાતે રહેતા અને એલ એન્ડ ટી ધોલેરા ખાતે નોકરી કરતા સાગરભાઈ ચંદુભાઈ ચુડાસમા (ઉ.વ.૩૧) તેમનું મોટરસાયકલ લઈને જસવંતપુસ ગામેથી ભાવનગર આવવા નીકળ્યા હતા.અને અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર ત્રણ નંબરના નાળા પાસે પહોંચતા કોઈ અજાણ્યા કારના ચાલકે સાગરભાઈનાં મોટરસાયકલ સાથે અથડાવી દેતા મારા સાગરભાઈને સ્થળ ઉપર પડી જતા તેમને માથાના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા વલ્લભભાઈ શાંતિભાઈ ચુડાસમાએ વેળાવદર ભાલ પોલીસમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News