વતન રહેતી પ્રેમિકાએ તકરારમાં નંબર બ્લોક કરી દેતાં નિકાવામાં યુવકે જીવ દીધો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
વતન રહેતી પ્રેમિકાએ તકરારમાં નંબર બ્લોક કરી દેતાં નિકાવામાં યુવકે જીવ દીધો 1 - image


હાલાર પંથકમાં ગળાફાંસો ખાઇ 3 યુવાનોના આપઘાત

ધ્રોલમાં પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થતાં  યુવાને જીવતર ટૂંકાવ્યું ઃ જામનગરમાં યુવાનનો આપઘાત, કારણ અંગે તપાસ 

જામનગર: હાલારમાં ૩ યુવાનોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે. કાલાવડ તાલુકાના નિકાવામાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો પ્રેમીકા સાથે ઝઘડો થયા પછી ગળાફાંસા ખાઇ આપઘાત કર્યો હતો. વતનમાં રહેતી પ્રેમિકા સામે ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરતાં પ્રેમિકાએ મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હોવાથી ગળાફાંસો ખાધો હોવાનું ખુલ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં ડફેર વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયા પછી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઓરિસ્સાના વતની અને હાલ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં એક ખાનગી કંપનીમાં ક્વાર્ટર્સમાં રહેતા દિપક લક્ષ્મીધર સાહુ નામના  ૨૬ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના સ્ટાફ ક્વાર્ટર્સના બિલ્ડીંગ ની સીડીની રેલિંગમાં સાલ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને પોતાના વતનમાં રહેતી રુબી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી પોતાની પ્રેમિકા ના ચારિત્ર ઉપર શંકા કરતો હતો, અને અવાર નવાર મોબાઇલ ફોનમાં તેની સાથે ઝઘડો કરતો હતો. જેથી ગઈકાલે પ્રેમિકા સાથે તકરાર થતાં પ્રેમિકાએ તેનો મોબાઇલ ફોન નંબર બ્લોક કરી નાખ્યો હતો. જેનું મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

ધ્રોલમાં ગાયત્રી નગર નજીક ડફેરવાસમાં રહેતા અયુબ ગફારભાઈ જુણેજા નામના ૩૪ વર્ષના યુવાને પોતાના રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા   તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની સલમાબેન જુણેજાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનને પોતાની પત્ની સાથે જમવા બાબતે બોલા ચાલી થઈ હતી, જેમાં તેને મનમાં લાગી આવ્યું હતું, અને આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની શેરી નંબર ૨૫-સીમાં રહેતા રાહુલ જયેશભાઈ સોલંકી નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News