હરી ધવા રોડ નજીક યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
હરી ધવા રોડ નજીક યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા 1 - image


રાજકોટમાં ત્રણે જીંદગી ટૂંકાવી લીધી

ઘરકંકાશથી કંટાળી અને અગમ્ય કારણસર બે યુવાને ઝેરી દવા પી લઈ જીવનદોરી કાપી લેતા કલ્પાંત

રાજકોટ: રાજકોટમાં વધુ ત્રણે જીંદગી ટુંકાવી લીધાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. હરી ધવા રોડ પર ગળાફાંસો ખાઈ અને મનપાની વેસ્ટ ઝોન ઓફિસ પાછળ બગીચામાં અને માલીયાસણ નજીક ઝેરી દવા પી ત્રણ યુવાને આપઘાત કરી લીધો હતો. 

હરી ધવા રોડ પર પટેલ ચોક નજીક સરદાર વલ્લભભાઈ પટેલ સોસાયટીમાં રહેતા અને છુટક દવાની સપ્લાયનું કામ કરતાં ચીરાગ હરેશભાઈ શાહ (ઉ.વ.ર૭)એ ઘરે પંખામાં કપડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા તત્કાલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. એક બહેનમાં મોટા ચીરાગે બીમારીના કારણે પગલું ભર્યાની શકયતા છે. જોકે ચોકકસ કારણ જાણવા ભક્તિનગર પોલીસે વધુ તપાસ જારી રાખી છે. 

બીજા બનાવમાં નાનામવા રોડ પર લક્ષ્મીનગર શેરી નં.૪માં રહેતાં ધર્મેન્દ્ર સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.૩૪)એ ગઈકાલે ૧પ૦ ફુટ રીંગ રોડ પર વેસ્ટ ઝોન ઓફિસ પાછળ અમરનાથના બગીચામાં ઝેરી પાઉડર પી લેતા સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા તાલુકા પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે ઘરકંકાશથી કંટાળી જઈ આત્મઘાતી પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવ્યું છે.

ત્રીજા બનાવમાં માલીયાસણમાં ખેરડી રોડ ઉપર રહેતાં પ્રવીણભાઈ રાજુભાઈ સવશીએ ગઈકાલે ઘરે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાલ કુવાડવા પોલીસે જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News