Get The App

બરવાળામાં ગટરના પાણી રસ્તા પર વહેતા નર્કાગાર જેવી સ્થિતિ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
બરવાળામાં ગટરના પાણી રસ્તા પર વહેતા નર્કાગાર જેવી સ્થિતિ 1 - image


- ભરવાડવાસના રહિશોએ અનેક વખત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય

- આ વિસ્તારના ચૂંટાયેલા સભ્ય અઢી વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં વિકાસથી વંચિત, અડધા વિસ્તારમાં બ્લોક પણ નથી નાંખવામાં આવ્યા

બરવાળા : બરવાળા શહેરના વોર્ડ નં.૧માં સ્મશાન પાસે આવેલા ભરવાડવાસ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના પાણી વહી રહ્યા હોવાથી સ્થાનિક લોકોની હાલત નર્કાગાર જેવી થઈ ગઈ છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 

બરવાળાના શાસકો કોઈને સાંભળતા નથી અને કામ કરતા ન હોવાનો દાખલો ભરવાડવાસ વિસ્તાર બન્યો છે. સ્મશાન ગૃહ પાસે આવેલા ભરવાડવાસ પ્રત્યે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખી વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર છેલ્લા પાંચ માસથી કાદવ-કીચડ, ઉભરાતી ગટરની સમસ્યાથી ઘેરાયેલો છે, ગટરલાઈન લીકેજ લીકેજ થવાના કારણે ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા હોવાથી અત્યંત દુર્ગંધની સાથે મચ્છર-માખીઓનો ઉપદ્રવ કાયમી રહેતો હોય, સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી તો નગરપાલિકા તંત્ર દ્વારા બે દિવસમાં થઈ જશે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અડધા વિસ્તારમાં બ્લોક નાંખવામાં આવ્યા નથી. જેના કારણે ગંદકી, ગંદવાડમાંથી લોકોને ચાલવું પડી રહ્યું છે. જેના કારણે છેવાડાના વિસ્તારના લોકોની હાલત નર્કાગાર જેવી બની ગઈ છે.  જ્યારે જોવાની ખૂબી એ છે કે, આ જ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય ખૂદ અઢી વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં આ વિસ્તાર વિકાસથી વંચિત છે, ત્યારે પ્રમુખે કદી પોતાના વોર્ડની મુલાકાત નહીં લીધી હોય ?, બરવાળાની સમસ્યાઓનું સમાધાન કોણ કરશે, જ્યાં વિકાસના દર્શન નથી થયા ત્યાં વિકાસ કોણ કરશે ? એવો સવાલ ઉભો થાય છે.


Google NewsGoogle News