ઘર પાસે રમતી બાળકીને ઝેરી જનાવર કરડી જતાં મોત
જામજોધપુર તાલુકાના સમાણા ગામે
ઝેરી ટીકડા પી જતા આંબલીયાળાના યુવાનનું મોત
જામનગર, ખંભાળીયા: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા પટેલ પરિવારની છ વર્ષની માસુમ બાળકી ને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું, જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઝેરી ટીકડા પી લેતા આંબલીયાળાના યુવાનનું મોત થયું છે.
જામજોધપુરના સમાણા ગામમાં રહેતા મહેશભાઈ વાદીની છ વર્ષની માસુમ પુત્રી નિવાબેન કે જે ઘર પાસે રમતી હતી, જે દરમિયાન તેને કોઈ ઝેરી જાનવર કરડી જતાં બેશુદ્ધ બની હતી. આથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાણવડ તાબેના આંબલીયારા ગામે રહેતા અશોકભાઈ પોપટાભાઈ સુરેલા નામના ૨૭ વર્ષના યુવાને ઈન્દ્રેશ્વર મંદિરના પુલ પાસેના ઝાડ હેઠળ ઝેરી ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.