જામનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા ગળાફાંસો ખાઇ આપઘાત

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા ગળાફાંસો ખાઇ આપઘાત 1 - image


ઇન્દિરા કોલોની વિસ્તારનો બનાવ

માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેના ગમમાં તેમજ અભ્યાસના ટેન્શનમાં જીવ દીધો

જામનગર: જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા ખાઇ આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. બે વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હોવાથી તેના ગમમાં તેમજ અભ્યાસના ટેન્શનમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા કુલદીપ કિશોરભાઈ વાઘેલા નામના ૧૫ વર્ષના વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે  મૃતક ના પિતા કિશોરભાઈ આલાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.જેનો ટેન્શન રહેતું હોય, તેમજ તેની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેનો પણ ગમ હોવાના કારણે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



Google NewsGoogle News