પાણીના ખાડામાં ન્હાવા પડતા ડૂબી જવાથી બાળકનું મોત

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
પાણીના ખાડામાં ન્હાવા પડતા ડૂબી જવાથી બાળકનું મોત 1 - image


કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે

જે.પી. દેવળીયા ગામે વીજ કરંટથી યુવાનનું મોત

જામનગર, ખંભાળિયા :  કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના ૧૧ વર્ષનાનું પાણીના ખાડામાં ડૂબી જતાં અપમૃત્યુ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું પાણીના ખાડામાં નાહવા માટે પડયા પછી ડૂબી જતાં અપમૃત્યુ થયું છે.

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા રાજેશભાઈ કારાભાઈ પરમાર નો ૧૧ વર્ષનો પુત્ર અક્ષિત કે રમતાં રમતાં દાણીધાર જવાના રસ્તે દિલીપભાઈ પટેલ ની વાડી ની બાજુમાં આવેલા પાણીના ખાડામાં નાહવા માટે પડયો હતો, ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ડૂબી જતાં તેનું કરૃણ મૃત્યુ નીપજયું છે.  આ બનાવ અંગે રાજેશભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News