ઓટોપાર્ટસ અને એક્સેસરીઝનાં 46 વેપારીની 6 કરોડની કરચોરી પકડાઇ
હિસાબી ચોપડા રાખ્યા વગર બારોબાર માલનાં વેચાણ સહિતના
ગોટાળા
અમદાવાદમાં ૩૫, રાજકોટમાં ૧૩, વડોદરા- સુરતમાં ૧૨-૧૨ સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડાઃ રૃા.૧.૫૦ કરોડની વસૂલાત
જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા
જીએસટીની અલગ-અલગ ટીમ દ્વારા અમદાવાદમાં ૩૫,
રાજકોટમાં ૧૩, સુરત અને
વડોદરામાં ૧૨-૧૨ સ્થળોએ ઓટોપાર્ટસ અને એસેસરીઝના વેપારીઓ ઉપર દરોડા પાડવામાં
આવ્યાં હતાં.
ઓટોપાર્ટસ અને એસેસરીઝનાં વેપારીઓ દ્વારા હાજર માલ અને
હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા હિસાબી
ચોપડા રાખ્યા વગર બારોબારથી માલનું ખરીદ-વેચાણ કરવામાં આવતું હતું.
જીએસટી વિભાગની ટીમને ગુડઝનું મિસ ક્લાસીફિકેશન કરી ઓછા દરે
વેરો ભરતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. કમ્પોઝીશન સ્કીમનો લાભ મેળવતા હોવા છતાં
વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી ટેક્સથી વસુલાત કરવામા આવતી હોવાનું તપાસમાં
ઘટ્ટસ્ફોટ કરવામાં આવ્યો છે.
જીએસટી વિભાગે ૭૬ સ્થળોએ દરોડા પાડતા અનેક જગ્યાએથી
રજીસ્ટ્રેશન વગર જ ઓટોપાર્ટસના ધંધાર્થીઓ દ્વારા વેપાર કરવામાં આવતો હોવાનું માલુમ
પડયું છે. અત્યાર સુધીમાં જીએસટી તંત્ર દ્વારા ૪૬ વેપારીઓ પાસેથી ૬ કરોડની કરચોરી
ઝડપી લીધી છે. તહેવાર ટાંણે જ જીએસટી તંત્રના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા
પામ્યો છે.