જાફરાબાદના 2 યુવાનના માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જાફરાબાદના 2 યુવાનના માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત 1 - image


- ગાંગડા ગામ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતા મોતને ભેટયા

- બન્ને યુવાન ઉનાથી જાફરાબાદ આીવી રહ્યા હતા, પરિવારમાં શોક

રાજુલા : ઉનાથી જાફરાબાદ બાઈક લઈ આવી રહેલા બે યુવાનનું ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર ગાંગડા ગામ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બે આશાસ્પદ યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ જાફરાબાદમાં રહેતા ખારવા સમાજના યુવાન ગોપાલભાઈ અશોકભાઈ બારૈયા અને મિલનભાઈ રામજીભાઈ બાંભણિયા નામના બે મિત્રો બાઈક લઈ ઉનાથી જાફરાબાદ આવી રહ્યા હતા. દરમિયાનમાં ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર આવેલ ગાંગડા ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થતી વેળાએ કાબુ ગુમાવતા બાઈક હાઈવે પરના ડિવાઈડર સાથે ઘડાકાભેર અથડાઈ હતી. જે બનાવમાં બન્ને યુવાનને ગંભીર ઈજા થતાં એકનું ઘટના સ્થળે અને બીજા યુવાનનું ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો ઉના પહોંચ્યા હતા. બનાવને લઈ ખારવા સમાજ અને મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. પીએમ સહિતની કાર્યવાહી બાદ મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં બન્ને મિત્રેની એકસાથે સ્મશાન યાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


Google NewsGoogle News