અજમાવી જૂઓ .
- તમાકુ પાણી સાથે ભેળવી વાળ પર ચોપડી પાટો બાંધે દેવો, બે પકોર રાખી, પછી અરીઠાંથી વાળ ધોવાથી જૂ-લીખનો નાશ થાય છે.
- દળેલું ધાણાજીરું ખરાબ થવા લાગે તો એમાં થોડું મીઠું ભેળવી દેવુંં. વધુ ખરાબ થતું અટકી જશે.
- વરિયાળીના ઉકાળામાં સાકર ભળવી પીવાથી પિત્તજ્વર મટે છે.
- નાગરવેલના બે-ચાર કોરા પાન ચાવી જવાથી શરદી-સળેખમમાં ફાયદો થાય છે.
- સવારે નયણા કોઠે ચાર તોલા હુંફાળા પાણીમાં બે તોલા જેટલું મધ ભેળવી પીવાથી મેદ-ચરબી ઉતરે છે.
- હુફાળા તલના તેલથી શરીરે રોજ માલિશ કરવાથી એક મહિનામાં ફિક્કી ચામડી તેજસ્વી થાય છે.
- મલાઈથી ચહેરા પર દસ મિનિટ માલિશ કરવું અને દસ મિનિટ બાદ ચણાના લોટથી ચહેરો ધોવાથી ત્વચા તેજસ્વી બને છે.
- બાજરામાં કડવા લીમડાના સૂકવેલા પાંદડા રાખવાથી લાંબા સમય સુધી બગડતો નથી.
- ખીર બનાવતી વખતે દૂધ પાતળું લાગે તો ખસખસ વાટીને નાખવાથી જલદી ઘટ્ટ બનશે.
- કઠોળ કૂકરમાં બાફવા મૂકતી વખતે ચપટી હળતર તેલ નાખવાથી જલદી ચડી જાય છે.
- કીડીઓ ઉભરાતી હોય ત્યાં સરસવ તેલનું પોતું મારવું.
- આંખે ઠંડુ પાણી છાંટવાથી આંખમાંની ગરમી દૂર થાય છે.
- મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.
- મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.
- ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.
- સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.
- મીનાક્ષી તિવારી