અજમાવી જૂઓ .
- તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે.
- કોથમીરનાં કૂમળા છોડને ધોઈ ઝીણા સમારી વાટી તેનો રસ શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે.
- અજમો મુખમં રાખી ચૂસવાથી હેડકીમાં રાહત થાય છે.
- ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં લીંબુ નિચોવાથી ભીંડા ચીકણા નહીં થાય.
- કાંદા સમારતી વખતે બે દાંતની વચ્ચે દિવાસળી રાખવાથી આંખમાંથી પાણી નહીં વહે.
- ઉનાળામાં દૂધમાં એલચી નાખી રાખવાથી દૂધ ખરાબ નહીં થાય.
- પેટનાં દુખાવાથી રાહત પામવા નાભિમાં હીંગ લગાડવી.
- સ્ટીલની વસ્તુઓને ચમકીલી કરવા સરકામાં કાંદાનો રસ ભેળવી સાફ કરવું.
- પીળી પડી ગયેલ હાથીદાંતની વસ્તુઓ પર ચૂનો રગડવાથી ફરી નવી જેવી થઈ જશે.
- દાડમની છાલ મુખમાં રાખી ચૂસવાથી ઉધરસનો વેગ ઓછો થઈ જાય છે.
- મુખમાં જેઠીમધ અથવા આદુનો ટૂકડો રાખવાથી ઉધરસમાં રાહત થાય છે.
- છાશમાં મીઠું ભેળવી પીવાથી પેટમાંના કૃમિ નાશ પામે છે.
- પથરીની તકલીફમાં અજમાનું ચૂરણ નિયમિત ખાવાથી રાહત થાય છે.
- બેસનના લાડુ બનાવવા કરકરાં લોટનો ઉપયોગ કરવો.
- ઘટ્ટ થઈ ગયેલ નેઈલ પોલીશમાં યુકેલિપ્ટસનાં તેલમાં ટીપાં નાખી એક દિવસ મૂકો. તેનાથી નેઈલ પોલીશ ઉપયોગમાં લઈ શકાશે.
- રીંગણાને સમારી મીઠાયુક્ત પાણીમાં રાખવાથી તે કાળા નહીં પડે.
- સિંધવ ભેળવેલા પાણીથી લાદી કે કિચન પ્લેટફોર્મ લૂછવાથી માખીનો ઉપદ્રવ થતો નથી.
- તેલમાં પાણી ભળી ગયું હોય તો તેલવાળા વાસણને ફ્રિજરમાં મૂકીદેવું થોડા કલાકો બાદ ફ્રિજરમાંથી જેવું બહાર કાઢશો કે પાણી ઉપર તેલ તરતું દેખાશે આ રીતે તેલ પાણી છૂટા પાડી શકાશે.
મીનાક્ષી તિવારી