અજમાવી જૂઓ .
* મંદાગ્નિની તકલીફથી રાહત પામવા એક કપ દાડમના રસમાં બે ચમચા મધ તથા થોડું સિંધવ ભેળવી સેવન કરવાથી ભૂખ લાગે છે તેમજ ભોજન પ્રતિ રૂચિ જાગૃત થાય છે.
* પાંચ ટીપાં પાણીમાં લસણનો થોડો રસ ભેળવી પીવાથી હાઇ બ્લડપ્રેશરમાં તાત્કાલિક લાભ થાય છે.
* જેઠીમધ અથવા નાની એલર્જી મોમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.
* પેરૂના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.
* દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.
* ત્વચા ડિહ્રાઇડેટ થઇ ગઇ હોય તો મધ લગાડવું.
* આદુ અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું. દસ મિનિટ બાદ કપાળ ધોઇ નાખવું.
* સામાન્ય તેમજ રૂક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે.
* બે ટી.-સ્પૂન કોપરેલમાં એક ટી-સ્પૂન લીંબુનો રસ ભેળવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થાય છે.
* રોટલીને મુલાયમ કરવા લોટ હુંફાળા પાણીથી બાંધવો.
* જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા(વ્હાઇટ વિનેગાર)માં વેજીટેબલ ઓઇલ ભેળવી, પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાંથી હળવે-હળવે રગડવું.
* રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે.
* ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.
* મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચીમીઠું ભેળવી હાથ પર પાંચ મિનિટ ઘસીને ધોઇ નાખવું.
* ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી ને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.
- મીનાક્ષી તિવારી